SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ચષ્ઠણની જાતિ ૨૧૭ એટલે કે તેને નહપાણ સહરાટના વંશજ, વારસદાર કે તેના દતક તરીકેના અનુગામી તરીકે લેખવામાં આવ્યા જ નથી. આ પ્રમાણે અનેક કારણે મળવાથી રૂષભદત્તનું વૃત્તાંત અત્રે ન લખતાં એક સ્વતંત્ર પરિચ્છેદ તળે જ લખવાનું ઠરાવ્યું છે. ઉપર પ્રમાણે સર્વ ઐતિહાસિક પરિસ્થિતિ હેવાથી, હવે સમજાશે કે શા માટે નહપાનું વૃત્તાંત સ્વતંત્રપણે આળખવામાં નથી આવ્યું, તેમજ તેના જીવનની અનેક ઘટનાએ તેના જમાઈ રૂષભદત્ત સાથે ઓતપ્રેત થઈ ગઈ છે; છતાં તેનાથી પણ તેને શા માટે છુટા પાડી નાંખવામાં આવ્યો છે. પરદેશી પ્રજાના ઇતિહાસમાં અને તેમાં પણ ક્ષત્રપ બિરૂદ ધરાવતા રાજકર્તાઓ જે જે હિંદના ઈતિહાસ સાથે સંબંધ નહષાણ અને ધરાવતા મનાતા આવ્યા છે ચષ્મણના તે સર્વેમાં, જે કોઇને રાજ- સંબંધ વિશે અમલ વિશેષ પ્રભાવશાલી અને મહત્વપૂર્ણ બનાવી ભરપૂર માલુમ પડ્યો છે, તે તે માત્ર બે પુરૂ ને જ છે. તેમનાં નામ નહપાણ અને ચણ છે. આ બન્નેને રાજકારભાર જેમ પ્રભાવવત અને યશસ્વી નીવડે છે તેમ તે બન્નેને રાજત્વકાળ પણ દીર્ઘ સમય કર્યો છે. વળી બન્ને જણાએ ક્ષત્રપ, મહાક્ષત્રપ, સ્વામી તેમજ રાજાનાં બિરૂદ મેળવેલાં છે.91 આ પ્રમાણે અનેક રીતે બનેની સામ્યતા હેવાથી, વિદ્વા એ તેમને એકજ કુળના અથવા તે એક કુળની જુદી જુદી શાખાના હેવાનું ધારી લીધું છે. તેમાંના નહપાણનાં રાજદ્વારી જીવનને કેટલાક પરિચય, પ્રસંગે ઉપસ્થિત થવાથી અત્ર અપાઈ ગયે છે, જયારે ચ9ણ વિશે તે હજુ ચેથા પુસ્તકમાં અને તે પણ તેના અંત ભાગે જ નિવેદન થવાનું છે. એટલે બેની વચ્ચે અનેક રીતે સામ્યતા હોવા છતાં, જે વિષમતા છે તે તો ત્યારે જ માલૂમ પડશે; છતાં અત્રે જે એક મુદ્દે જણ વો આવશ્યક છે તેની જ ચર્ચા હાથ ધરીશું. રાજા નહપાણે પોતાના સિકકામાં પિતાની ઓળખ માટે ક્ષહરાટ શબ્દ વાપરેલ હેવાથી તેના વિશે આપણે અંધારામાં ગોથાં ખાવાં પડે તેવું બહુ રહેતું નથી; જ્યારે ચ9ણે પિતા માટે ક્યાંય પણ, એક શબ્દ વાપર્યો જ નથી; જેથી તેની અન્ય ઓળખ માટે વિવિધ કલ્પનાઓ ઉપજાવી કાઢવી પડે છે. તે સર્વેને ઉલ્લેખ તો તેનાં વૃત્તાંત કરીશું. અત્રે તે એટલું જ લક્ષમાં લેવાનું છે, કે જેમ નહપાણને ક્ષહરાટ કહી શકીએ છીએ તેમ ચકણને વિશેષણ લગાડવું તે અગમ્ય મુદ્દો ગણાવે છે. એટલે વિદ્વાનેએ એક માર્ગ લીધો સમજાય છે કે, ક્ષહરાટને એક ગોત્ર (family)૭૪ (૭૧) જુઓ તેમના સિક્કાઓ (પુ. ૨ માં નં. ૩૭ તથા ૪ર) તેમજ ઉપરની ટી. નં. ૧૪, (૭૨) આ ઉપરાંત તે બનેના ધમ વિશે પણ પાણી જ સામ્યતા હતી (ઘણી જ એટલા માટે લખવી પડી છે, કે તેમાં કાંઈક ભેદ પણ હશે એમ મને લાગ્યું છે, કદાચ તે ભેદ ન પણ હેય; પણ તે શંકાનું સમાધાન ન મળે, ત્યાં સુધી તેટલે દરજ્જુ ભેદ હેવાનું માનવું પડે છે, પણ તે અહીં મેં નથી જણાવી; કેમકે વિધાનએ ધર્મ બાબતમાં કોઈ રાજવીઓ વિશે વિચાર જ કર્યો નથી કોઈ એક બે જણીતા અપવાદ સિવાય) એટલે તે વાત હું અહીં કરવા બેસું તે તે અસ્થાને ગણાશે. (૭૩) ૫. ૨, સિક્કા નં. ૩૭ જુઓ. (૭૪) જાઓ ઉપરમાં ભૂમાના વૃત્તાંત, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy