________________
આમતિ વણાન નંબર પૃષ્ઠ
૨૭
૨૮ ૧૭૩ ૨૯ ૧૭૩
૧૯૪
૩૧
૨૦૨
છે જેના પ્રતીકમાં, મથુરાના સિંહસ્તૂપરૂપે તેણે આપણને પેલી પુરાતત્ત્વની પ્રસાદી છે જેને લીધે ઈતિહાસમાં તેનું નામ સદાને માટે યાદગાર રહી ગયું છે. સારનાથ સ્તંભનું ચિત્ર છે. આમાંના શિલ્પ, વિશ્વભરના શિ૯૫ વિશારદની પ્રશંસા પ્રાપ્ત કરેલી છે. તેનું સવિસ્તર વર્ણન પુ. ૧ તથા ૨ માં અપાઈ ગયું છે. અહીં તે રજુ કરવાનું કારણ એ જ છે કે, આ પુસ્તકે મુખપૃષ્ઠ ઉપર રજુ કરાયલ મથુરાસિંહસ્તૂપના ચિત્રની સાથે તેની તુલના કરવાનું સુલભ થાય; આ સારનાથ પિલર ઘડાયા પછી લગભગ સવા વર્ષે મથુરા સિંહસ્તૂપ ઘડાયો છે. પરંતુ મથુરાસ્તૂપના નિર્માતા મહાક્ષત્રપ રાવલના જ ધર્માનુયાયી પણ વિશેષ શક્તિશાળી સમ્રાટ પ્રિયદશિનની કાર્યશક્તિના તે નિમિત્તરૂપ છે. જેથી બન્ને રાજવીના સામર્થ્યની તુલના પણ કરી શકાય છે. ષષ્ટમખંડે દ્વિતીય પરિચ્છેદનું શોભન ચિત્ર છે. એ તૃતીય ,
ચતુર્થ છે રાજા નહપાણ-અવંતિપતિના સામ્રાજ્યમાં જે પ્રદેશને સમાવેશ થતો હતે તેને ચિતાર આપતે નકશે છે. તશિલાપતિ મહાક્ષત્રપ પાતિકનો ચહેરો રજુ કરાયો છે. તે તેના સિકકા ઉપરથી લેવાયો છે. આ કે ધર્મશ્રદ્ધાળુ હતો તે તેના જીવનવૃત્તાંત ઉપરથી સમજી શકાય છે. મૂળે શક જાતિના, પણ પાછળથી અવંતિપતિ ક્ષત્રપ ચકણવંશી રાજકર્તાઓના સમયે, તેમના અધિકાર તળેના ગેવરધન સમય-જેની રાજધાની નાસિક ગણાતું હતું તેની ઉપર જે અમલદારો સૂબાગીરી કરી રહ્યા હતા તથા જેઓએ પ્રસંગ અનુકૂળ થતાં મહાક્ષત્રપ પદ ધારણ કરી પિતાને આભીર વંશ સ્થાપે હતો તથા સંવત્સર ચલાવ્યું હતું જે ભારતીય ઈતિહાસમાં કલસૂરિ અથવા ચેદિ સંવત તરીકે ઓળખવામાં આવે છે તેમાંના એક આભીરપતિ ઈશ્વરદત્તને છે, જ્યારે બીજે ચહેરો તેના જ વંશમાં પણ લગભગ અઢી સદીબાદ થયેલ ધરસેનને છે. આ ધરસેને સંવત્ તે પિતાના પૂર્વજને જ ચલાવ્યે રાખે છે પણ પિતાના વંશનું નામ, તે સ્થાનમાં આવી રહેલ ત્રિરશ્મિ પર્વત ઉપરથી વૈકૂટક પાડયું હતું. આ પ્રમાણે આ બે વંશસ્થાપકના મૂળ ચિત્રો રજુ કરી પુરાતત્વના અંશે જાળવી રાખવા પ્રયત્ન સેવે છે. તેમને વિશેષ અધિકાર આ પુસ્તકના સાથી અંતિમ પરિચછેદે આવે છે. તેમાં ઘણું નવીન હકીકત રજુ કરી છે.
૩૩-૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com