SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ત્યારપછી [ પ્રથમ સ્થિતિ થઈ; વળા જે ભાગ ચીન અને તિબેટ તરફ ગયો હતો તેમાં પણ ધીમે ધીમે સંસ્કૃતિ અને વિદ્યાભ્યાસને આવિર્ભાવ થવા પામ્ય હતો; તેમાંયે ચીન તરફ ગયેલી પ્રજા વધારે સંસ્કૃત બની ગઈ; જ્યારે તિબેટ અને ખેટાન તરફવાળી અદ્ધ જંગલી જ રહી ગઈ. સંસ્કૃત પ્રજાને વસવાટની પાછી જરૂરત લાગવાથી જય મેળવવાની મુશ્કેલી ઊભી થઈ; પણ વધારે પૂર્વમાં જાય છે ત્યાં તે સમુદ્ર હતું એટલે પશ્ચિમ તરફ તેમને ઠેલો માર પડ્યો; તેથી ટીબેટ અને ખાટાનમાં જે પડી રહી હતી તથા:ઓછી સંસ્કૃત અને જંગલી હતી તેમની સાથે યુદ્ધ થયું. જે મજબૂત હતા અને જેણે જીત મેળવી હતી તે ત્યાં જ હિમાલયની ઉત્તરે પડી રહ્યા જ્યારે જડ ભરત જેવા કે કાંઈક સંસ્કૃત પણ શરીરે નબળા હતા, તેમણે ઉઠગિરિ કરીને પશ્ચિમને માર્ગ લીધે; અને ધીમે ધીમે પાછા અસલ વતન-ઓકસસ નદીવાળા પ્રદેશમાં આવી ગયા. ઇતિહાસમાં જેને યુ-ચી નામની પ્રજાજ૮ તરીકે ઓળ. ખાવાય છે તે આ વારંવાર હસેલા ખાતી ચીન તરફથી આવીને અહીં ચિનાઈ તુર્કસ્તાનમાં વસેલી પ્રજા સમજવી. આટલી ક્રિયા થવામાં ઈ. સ. પૂ ની પાંચમી છડી સદી લગભગ આવી ગઈ; વળી ત્યાં ઠરીઠામ થઇને બે ત્રણ સદી જ્યાં ગાળી નહીં હોય તેટલામાં, યુરોપમાં જઈ વસેલી પ્રજામાંથી જેમણે ભૂમધ્ય સમુદ્રમાંના આયનીયન ટાપુઓની માલિકી લીધી હતી અને જેઓ ગ્રીક અથવા મેસીનીઅનના નામે ઓળ ખાતા હતા તથા જેને પ્રાચીન હિંદી ગ્રંથકારોએ તેમના વતન " આનીયા' ઉપરથી યવન કહીને સંબોધ્યા છે તેઓએ, પૂર્વ તરફની આર્થિક જાહોજલાલીના તથા સંસ્કૃતિના વૃત્તાંતે સાંભળી તે દેશ જોતાની અભિલાષા સેવી; એટલે તેમણે પોતાના મહત્ત્વાકાંક્ષી અને ભર યુવાનીને ઉછળતા લોહીવાળા સરદાર અલેકઝાંડરની પ્રેરણા નીચે આક્રમણ કર્યું. વચમાં આવતાં એશિઆઈ તુર્કી તથા ઈરાન જીતી લઈ ત્યાંની શહેનશાહતને ખતમ કરી નાંખી૪૯) પછી હિંદ ઉપર ધસારો લાવ્યા. આ યવનનું પછી શું થયું તે ઇતિહાસ, આપણે પુ. ૨ માં ત્રીજા ખંડે સપ્તમ પરિચ્છેદમાં પૃ. ૨૨૬ થી ૨૪૩ સુધીમાં વિસ્તારથી વર્ણવી ગયા છીએ; પણ અત્ર જે નોંધ લેવી ઘટે છે તે એટલી જ કે, આ પ્રદેશમાં જે યવને પોતાના પ્રથમના કે પીછેહઠના પ્રયાણુમાં રહી ગયા હતા, તે સર્વે ત્યાંના વતની એની સાથે ધીમે ધીમે વ્યવહાર સંબંધમાં આવી ગયા. અને તે બાદ તે સઘળાની ઓળખ તેમનાં વસવાટના પ્રાંતે ઉપરથી જુદા જુદા નામે થવા પામી. જેમકે (૧) ઇરાની (બીજું નામ પહલવ) સાથે રહીને જે પ્રાંત વચ્ચે તે પારદ (જેને હાલ ખેરાસન કહેવાય છે) અને તેની પ્રજા પારદીયન-પાર્થિઅને (૨) ઓકસસ નદીવાળી પ્રજા સાથે રહીને બેકરીઆમાં વસવાટ કર્યો તેથી બેકટ્રીઅન્સ થયા. અને તેમનું અસલ નામ જે યવન હતું તેને ભળતું યોન ” નામ તેમને લાગુ પાડવામાં આવ્યું. (૪૮) આ યુયી પ્રન માટે કુશાન વંરાની ઉત્પત્તિમાં જુઓ. ૫, ૪ ના અંત ભાગમાં. (૪૯) આ કારણથી ઇ. સ૧, ૩૩૨-૩૩૦ ના સમયની ઇરાની શહેનશાઅતમાં, રાજકર્તા ઈરાની શહેનશાહની વંશાવળી મળવાની નથી; પાછો ન વંશ બે સદી બાદ હૈયાતીમાં આવ્યો છે ત્યારથી ઈરાની શહેનશાહનાં નામે મળી આવે છે ( જુઓ પુ. ૨, પૃ. ૩૦૭ નું વર્ણન તથા તેની * રીકાની હકીકત.). (૫૦) જુઓ ઉપરમાં રી, નં. ૫૯ માં મૈ. સા, ઈ. ૫. ૪૪ નું અવતરણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy