SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જબૂદ્વીપની [ પ્રથમ છતાં તેમની કેટલીક દલીલ વદતવ્યાધાતના ન્યાયે એક બીજાની વિરૂદ્ધ જતી હોય એમ દેખાયાં કરે છે. તે બધા ગુંચવાડામાં અટવાઈ પડ્યા સિવાય, ખરી સ્થિતિ સમજવાને માટે આપણે તે સવેની બનતી માહિતી ઈતિહાસ અને ભૂગોળરૂપે-તપાસી જેવી જરૂરની થઈ પડશે. અત્યાર સુધીના પ્રાચીન કાળને ઈતિહાસ સમજવા તથા તેમાં આવતી મુશ્કેલીનો ઉકેલ કરવા માટે જેમ પુરાણ આદિ તેમની વૈદિક સં. દાયના ગ્રંથોની ઉત્પત્તિનો તથા જૈન સાહિત્ય ગ્રંથની ઈતિહાસ સહાય લેવી પડી છે, તેમ આ પ્રસંગ માટે પણ તેવાં જ ગ્રંથમાંથી મળી આવતી હકીકતનો ઉપયોગ કરવો પડશે. આપણે જે દેશનો ઇતિહાસ આલેખી રહ્યા છીએ અને જે હિંદમાં આપણે અત્રે વસવાટ કરી રહ્યા છીએ તેને પ્રાચીન સાહિત્ય ગ્રંથમાં ભરતખંડ અને જંબુદ્વીપના એક અંશ તરીકે ઓળખાવાય છે. અને તેની મૂળ પ્રજા જેને આર્ય અને અનાર્ય એવા બે ટૂંક ઉપનામથી ઓળખતા હતા. તેમાંથી ઉપર જણાવેલી પાંચે પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે થવા પામી તે સર્વને દતિહાસ સમજવો સહેલ થઈ પડે એટલા માટે પ્રથમ તે જંબુદ્વીપની રચના વિશે-ભૂગોળ સંબંધી-આપણે કાંઈક ખ્યાલ લઈ લેવો જરૂરી ગણાશે. સારી પૃથ્વીની રચના વિશે અત્યારની આપણી માન્યતા જે છે તેનાથી ઘણા જ જુદા પ્રકારની રચના પ્રાચીન સમયે જબૂદ્વીપની ધારવામાં આવતી હતી. જેના સમજુતિ સંપ્રદાયના ગ્રંથોમાં એમ જણાવાયું છે કે સર્વ જમીન અને પાણી અઢી કીપ અને અઢી સમુદ્રમાં વહેચાયેલાં હતાં. તેને આકાર ગોળ હતું. તેમાં સૌથી પ્રથમ અને નાનામાં નાનો જે દ્વીપ તે મધ્યમાં હતા. તેને ફરતે ગોળાકારે સમુદ્ર હતું. જે પિતામાં વી ટાઈ રહેલ દ્વીપના કરતાં બમણે મેટે હતો. પાછો તેને ફરતે બીજો દ્વીપ જે તે તે તેની અંદર રહેલ સમુદ્ર કરતાં બમણો મોટો હતો. આ પ્રમાણે પહેલી જમીન અને ફરતું પાણી, એમ ઉત્તરોત્તર ગોઠવણ થયેલી હતી અને તેનું ક્ષેત્રફળ બમણું થતું જતું હતું. આપણે અહીં તેમાં એકની સાથે નિસબત નથી, માટે તે સર્વને વર્ષ દઈને, માત્ર જે મધ્યવર્તી દ્વિીપ છે અને ક્ષેત્રફળમાં જે સાથી નાનામાં નાનો ગણાય છે તે એકલાના પૂરતી જ ઓળખ આપીશું. તેને જંબૂડોપ કહેવામાં આવતો હતો. તે ગળાકારે હતો અને તેને ફરતું પાણી હેવાથી ઠપ નામ પણ સાર્થક હતું. તેને વિસ્તાર એક લાખ યોજન ગણવામાં આવતો અને તેના મધ્યબિંદુ સમાન એક પર્વત હતો. તેનું નામ મેરૂપર્વત કહેવામાં આવતું. આ પર્વતની ઉત્તરે આવેલ પ્રદેશને ઉત્તર જંબુદ્વીપ અથવા જંબુદ્વીપને (૧૧) ને કે હાલ તે એકલા હિંદુસ્તાનને જ ભરતખંડ તરીકે ઓળખાવાય છે, પણ પ્રાચીન સાહિત્યમાં, જે પ્રદેશ ઉપર રાજ ભરતનું રીય તપતું રહ્યું હતું તે રાવને ભરતખંડમાં સમાવેશ કરાતો હતો અને ભરતનું રાજ્ય હિંદની બહાર પણ અનેક દેશમાં હતું. એટલે તે હિસાબે ભરતખંડને પ્રદેશ હાલના હિંદ કરતાં કયાંય મોટે કહી શકાય. કેટલેક ઠેકાણે “મગધ દેશનું સ્થાન સમાવતાં જંબુદ્વીપને દક્ષિણ ભરતખંડમાં” આવા ર૬ વ૫રાતા પણ નજરે પડે છે. તે ઉપરથી સમજાય છે કે, ભરતખંડની સંખ્યા એકથી વધારે હોવી જોઈએ જ, સરખા નીચેની ટીનં. ૧૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy