SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] નું વૃત્તાંત ૮૩ પછી તેમના વિચારથી આપણે જુદા કેમ પડીએ છીએ તે દલીલ પૂર્વક સમજાવવા પ્રયત્ન કરીશું. તેમના શબ્દોના ઉતારાઓ-અવતરણે પૃ. ૨૯-કચ્છિક સંબંધર્મો, પુરાણકાર ઇસ પ્રકાર લિખતે હૈ “જબ કલિયુગ પૂરા હોને લગેગા, તબ ધર્મ રક્ષણકે લિયે શંબલ ગામ કે મુખિયા વિષ્ણુયશા બ્રાહ્મણકે યહાં, ભગવાન વિષ્ણુ કલ્કિ કે રૂપમેં અવતાર લેંગે. કલિક દેવદત્ત નામક તેજ ઘડે પર સવાર હેકે, ખડ્ઝસે દુષ્ટ ઔર રાજેશમે રહેતે હુએ સબ લુટેરાંકા નાશ કરેગા; જે સે છ હૈ: જે અધાર્મિક ઔર પાખંડી હs તે સબ કકિસે નષ્ટ કરીએ જાયેગે (શ્રીમદ્દ ભાગવત ૧૨ સ્કંધ, અ૦ ૨, ૫. ૧૦૩૦-૧૦૭૪). તે બાદ લેખક મહાશયે, જુદા જુદ જૈન ગ્રંશે, જેવાં કે તિગાલી, કાલસપ્તતિકા, દીપમાલા, (જિનસુંદરસૂરિકૃત), દિગંબર નેમીચંદ્રસરિનું તિલોયસાર આદિ પુસ્તકમાં રાજા કલ્કિ વિષે ભિન્નભિન્ન સમય દર્શાવ્યાનું જાહેર કર્યું છે. ઉપરાંત (૨) ધર્મ એટલે અહીં વૈદિક ધર્મ કહેવાને ભાવાર્થ છે એમ સમજવું કે જે ધર્મનો રાજા કલિક, પુરાણના મતથી સંરક્ષક ગણાય છે. (૩) કલિક તે અનિમિત્ર કરે તો તે વિપશુયશ તે પુષ્યમિત્રનું જ નામ કહેવાય, અને સનાધિ- પતિના પદ ઉપર વેષ્ઠિત થયે તે પૂર્વનું છે તેનું નામ હતું એમ થયું તથા તેનું મૂળ વતન ચંબલ નામે ગામ હતું. (સરખા તેના જીવનવૃત્તાંતે આને લગતું મુખ્ય લખાણું). ઈતર પરાણિક ગ્રંથમાં મર્યવંશી રાજ. એની નમાવળીમાં ઘણું કરીને આવા જ નામના રાજને ઉલેખ કરાયાનું મને યાદ આવે છે, તો તપાસ કરવી, ને તે નામ હોય તો પુષ્યમિત્રનું નામ જ વિષ્ણુ યશા ઠરશે, અને તેના પુત્ર તરીકે કહિક રાજા એટલે અગ્નિમિત્રનું તે બિરૂદ હતું એમ સાબિત થશે. (૪) ગ્રીક-ચવન, શક, બદક તેમજ પાર્થિયન વિગેરે જે પરદેશી પ્રજા તે સમયે હિંદ ઉપર ચડી આવતી હતી તે સર્વે માટે એક જ શબ્દ વાપર્યો લાગે છે. (૫) વૈદિક મતથી પર, એટલે વૈદિક મતમાં નહીં માનનાર, તે સર્વે પાખંડી-મુખ્યતાએ કરીને જેન અને બૈદ્ધ. (જે હોય તે.) () જેન ધર્મમાં આ સમયે-શાખા પ્રશાખા બહુ થઈ પડી છે તેનું કારણ આ રાજ કલિકને જુલમ મુખ્યત્વે છે, જેને લીધે સર્વે સાધુએ, મનમાં આવ્યું તેમ છુટાછવાયા પડી જઈને વિચારતા હતા તથા જે જૈનાચાર્યોનાં વૃત્તાંતે નથી મળતાં તેનું કારણ પણ આ કલ્લિ રાજને ઉપદ્રવ જ દેખાય છે. આ સમયે જૈન સંપ્રદાયમાં શાખા પ્રશાખા વધી પડવાનાં કારણ તરીકે એક માણે મેં તાંબર-દિગબર વચ્ચે પડતી કાટને આડ ધરી છે, પણ તે હકીકત હવે યથાર્થ લાગતી નથી. વિશેષ વિચારણ કરતાં અને તેને સમય વિક્રમની બીજી સદીમાં જણાવે છે તેથી તે બાબતનો ઈસરો પુ. ૨ માં ચંદ્ર ગુપ્તનું વર્ણન કરતાં (જુઓ પૃ. ૧૪૯ નં.૪૯) મેં કર્યો છે. તે બાદ વિશેષ ચિંતવનથી તે સમય પણ ફેરવો પડે તેમ લાગે છે. કદાચ હજુ આગળ લઈ જ પડે એમ સંભવે છે. ગમે તે હે, પણ જૈન સંપ્રદાયમાં શાખાપ્રશાખા પડવાની સાથે દિગંબર ઉત્પત્તિને સંબંધ નથી જ, આર્ય સુહસ્તિ પછી જનાચાર્યોને લગભગ બે સદી સુધીને ઇતિહાસ જે તદ્દન અંધકારમાં છે, તે આ શુંગવંશી રાજઅમલનું કારણ છે; તેમ જ વૈદિક અને તાપસ મતની મહત્તા બતાવતી કેટલીક કથાઓ જન સાહિત્યમાં મળી આવે છે તે પણ આ સમયને લગતી જ હોવા સંભવે છે. રાજ કલ્કિના ધર્મ પરત્વેના જુલ્મથી જીવ બચાવવા જૈનાચાર્યો આમને તેમ નાસતા ફરતા હતા. કેટલાક તે હેરાન ગતિમાંથી બચવા માટે, તેના રાજ્યની હદ વટાવીને પાડોશી રાજેને જઈ વસ્યા હતા. આવા પ્રદેશ તરીકે રાજ તાના અને ક્ષહરાટ ભૂમકને મધ્યદેશ ગણી શકાય છે મધ્યદેશની રાજધાની મધ્યમિકા નગરી ગણાતી; જેનું સ્થાન વર્તમાન અજમેરની પાસે ગણવામાં આવી શકાય તેમ છે. (સરખા ગત પરિચ ટી, નં. ૪૭,) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy