________________
[૨] પાલી ભાષામાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. સ્વલ્પ સમયમાં પરીક્ષા પસાર કરી. “જૈન ધર્મની મહત્તા ” પણ પ્રકાશિત કરી.
જેનતત્ત્વજ્ઞાન દ્વારા જીવનમાં જેન સાહિત્યની, જૈનધર્મની અને જેન–સમાજની શકય સેવાઓ બજાવવા છતાં જેમણે બહુ પ્રસિદ્ધિની પરવા કરી નહિ–અપેક્ષા રાખી નહિ, મિથ્યા આડંબરને કદાપિ મહત્ત્વને માન્ય નહિ. કર્તવ્યપરાયણતાને જ જીવનસૂત્ર તરીકે સ્વીકારી. જેમણે ૧૫ વર્ષોના સતત પરિશ્રમથી, સેંકડો ગ્રંથના પરિશીલનથી પ્રાકૃત શબ્દ-મહાર્ણવ (સં. ૧૯૮૩-૮૫) જેવા લક્ષાવધિ શબ્દાર્થ વૈભવશાલી મહત્વના અત્યુપયેગી પ્રાકૃતસંસ્કૃત-રાષ્ટ્રભાષા(હિંદી)મય બહતુંકેશની વિશિષ્ટ સંકલના કરી, સુશિક્ષિત સદગુણી સધર્મચારિણી સુભદ્રાદેવીના સુગસાહાયથી પ્રકટાવેલા અમર–કીર્તિરૂપ એ મહાભારત કેશરત્નને જ ચિરંજીવ-પુત્રરત્ન માની સંતોષ ધારણ કર્યો. એવા મહાકેશ દ્વારા જેમણે પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ-વિદ્યાથીઓ પર જ નહિ, વિદ્યા–વ્યાસંગી જિજ્ઞાસુ વિદ્વાનો અને સમસ્ત સાહિત્ય-સેવીઓ પર પણ ચિરસ્મરણીય મહાન ઉપકાર કર્યો.
જેમણે ૨૮ હજાર કેવાળા વિસ્તૃત વિવરણવાળા વિશેષાવશ્યકભાષ્ય જેવા વિશેષ આવશ્યક શાસ્ત્રીય ગ્રંથનું સ્વતંત્ર સુગ્ય સંશાધન-સંપાદન કર્યું (વિ. સં. ૧૯૯૭ થી ૧૯૭૧) અને પં. બેચરદાસભાઈ જેવા સહાધ્યાયી સહસંપાદકને સહયોગ મેળવી મહત્ત્વના વિવિધ વિષયના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથનાં પ્રશંસનીય સાધન-સંપાદન કરી શ્રીયશવિજય જૈન ગ્રંથમાળાનું શૈરવ વધાર્યું, જૈન વિવિધ–સાહિત્યશાસ્ત્રમાલાની યેજના કરી લુપ્ત થતા પ્રાકૃત સંસ્કૃત પ્રાચીન સાહિત્યમાંથી સુરસુંદરી-ચરિત્ર (સં. ૧૯૭૨), સુપાર્શ્વનાથચરિત્ર (સં. ૧૯૭૪-૭૫) જેવા મહત્ત્વના હજારે પદ્યવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com