SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સદૂગત સુહંદુ પં. હરગોવિંદભાઈને - સ્નેહાંજલિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીના સદુપદેશભર્યો પ્રશંસનીય પ્રયત્નથી કાશીમાં સ્થપાયેલી શ્રીયશોવિજયનામાંકિત જૈન સંસ્કૃત પાઠશાલાએ જે સુવાસિત મનેતર સુપુપે ખીલવ્યાં, સંતોષજનક જે સુયશસ્વિ ફળો સમાજને સમર્પો, જે પ્રતિભાશાલી મહાધ્ધ તેજસ્વી વિદ્ર-રને સમર્પણ કર્યા તેમાંનું અગ્રગણ્ય ઝળહળતું શ્રેષ્ઠ વિદ્ધદુરસ્ન ગત આષાઢ વ. ૧૩ ના પ્રભાતે મુંબઈમાં અદશ્ય થયું છે, જેની પુનઃ પ્રાપ્તિ અશકય છે, જેનાં પુનર્દશન દુર્લભ છે, જેમના અવસાનથી જેન–સમાજને અને વિદ્વત-સમાજને થયેલી ન્યૂનતાની પૂર્તિ થવી ઘણું મુશ્કેલ છે. વિ. સં. ૧૯૪૫માં જેમણે જન્મથી ગૂર્જરદેશને ગૌરવશાલી કર્યો, રાજ-ધન્ય-રાધનપુરને રંજિત કર્યું, વિદ્વદ-ધન્ય તરીકે વિખ્યાત કર્યું, વિસા શ્રીમાળી વણિફ-જ્ઞાતિને વિકસવર બનાવી, ધર્મ-પ્રેમી જૈન-સમાજને આનંદિત કર્યો, દેવ-ગુરુ-ભક્ત પિતા ત્રિકમચંદ શેઠને અને ધર્મનિષ માતા પ્રધાનદેવીને સાચા ધન્યવાદનાં પાત્ર બનાવ્યાં. મનહર અક્ષર-લેખન સાથે માતૃભાષા ગુજરાતીનું તથા હિંદી, અંગ્રેજી, વગેરે ભાષાઓનું અને વિવિધ– સાહિત્યનું પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમણે સં. વ્યાકરણ, ન્યાય, સાહિત્યાદિના વિશિષ્ટ વિદ્યાભ્યાસ દ્વારા વારાણસીના વિદ્યાલયની વિખ્યાતિ વિદેશો પર્યત વધારી, ન્યાય-વ્યાકરણતીર્થ પદવીવાળી સંસ્કૃતની ઉચ્ચ પરીક્ષાઓમાં ઉચ્ચ કક્ષામાં સફળતા પ્રાપ્ત કરી, એટલું જ નહિ, પ્રાકૃત ભાષામાં અને સીલેન-લંકા જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy