SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. વિક્રમની ૧૪ મી સદીમાં. માંડવગઢ(માળવા)ના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર પેથડશાહે વિ. સં.૧૩ર૦ લગભગમાં ૮૪જિન-પ્રાસાદે કરાવ્યા સં. પેથડ, હતા, તેમાં જીરાપુરમાં આદિજિન મૂળના ઝાંઝણ યકવાળું જિનમંદિર કરાવ્યું હતું. તે જીરાપુર સંઘ યાત્રા અને પ્રસ્તુત જીરાપલ્લી એક હશે કે કેમ? એ વિચારણીય છે, તેમ છતાં સ્વર્ણ-સિદ્ધિની શોધમાં જતાં તેણે ત્યાં યાત્રા કરી હતી. તથા તેના સુપુત્ર ઝાંઝણશાહે વિ. સં. ૧૩૪૦ માં માઘ શુ. ૫ તીર્થ—યાત્રાને સંઘ કહાડ હતું. તે સંઘ નાગહદ(નાગદા)માં નવખંડા[પાW] જિનને નમ્યા પછી જીરાપલ્લી(જીરાઉલી)માં ગયે હતું જ્યાં ચિતરફથી પ્રભાવથી આકર્ષાયેલા સંઘે આવતા હતા. ત્યાં સંઘવીએ આડંબરથી સ્નાત્રપૂજા, કરોડે પુષ્પોથી પુષ-પૂજા અને દમણ કપૂર વગેરેથી ધૂપ-પૂજા કરી હતી. તથા એક લાખ દ્ર (રૂપીઆ)ના વ્યયથી તૈયાર કરાવેલ મતીથી ભરેલે અને સોનાના તંતુઓ(ઝીકઝાક)વાળે રેશમી વસ્ત્રને અંદર ચેત્યના મંડપમાં બાંધ્યું હતું. ત્યાર પછી સંઘ આબ ગયે હતે-એમ વિક્રમની ૧૬ મી સદીના પ્રારંભમાં વિદ્યમાન પં. રત્નમંડનગણિએ રચેલા સુકૃતસાગર(તરંગ ૩,૮)માં જણાવ્યું છે. ૧. વિશેષ માટે જુઓ “જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ [ પૃ. ૮૨-૮૪ ] ___ २ " x x तजीरापल्लिपुर्या श्रीपार्श्वमस्मि नमकोः ॥ प्राप्य राज्ञस्ततोऽनुज्ञा प्रस्थितः सपरिच्छदः । 'जीरापल्ल्यां जिनं नत्वाऽऽरुरोहार्बुदभूधरम् ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy