SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પાવાગઢથી વડોદરામાં જણાવી છે. હાથમાં રત્ન-જડાવ ચૂડી કંકણ, પગમાં ઝાંઝર નપુર, અને ડેકમાં નવલખો હાર–એ દેવીને શણગાર સૂચવ્યું " श्यामाभा पद्मसंस्था वलयवलिचतुर्बाहुविभ्राजमाना पाशं विस्फूर्जमूर्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्टा देवीनामस्तु काली कलिकलितकलिस्फूर्तिरुद्भूतये नः ।। ॐ नमः श्रीकाल्यै श्रीअभिनन्दननाथशासनदेव्यै । श्रीकालि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठामहोत्सवे आगच्छ आगच्छ इद मर्थ्य पाद्यं बलिं चरुं गृहाण गृहाण सन्निहिता भव भव स्वाहा ।" –વડોદરા-પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૪૭૬ માં લખાયેલી હ. લિ. પ્રતિ પત્ર ૧૨૧. ૫. પરમજૈન ઠક્કર કેરુએ વિ. સં. ૧૩૭ર માં પ્રાકૃતમાં રચેલા વાસ્તુસારને, શ્રીયુત પં. ભગવાનદાસજી જેને હિંદી અનુવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યો છે. તેમાં વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથના આધારે શાસનદેવ-દેવીઓનાં લક્ષણ સાથે જે ચિત્રો આપ્યાં છે, તેમાં વેતાંબર જૈન-માન્યતા પ્રમાણે જણાવેલ ચોથા તીર્થકરની શાસનદેવી કાલિકાનું નામ તથા સ્વરૂપ મળતું આવે છે, પરંતુ દિગંબર જેની માન્યતા એથી જૂદી પડે છે, અર્થાત તેઓ ચેથા તીર્થકર (અભિનંદન)ની શાસનદેવી તરીકે અને તેવા સ્વરૂપમાં કાલિકાને માનતા નથી. એવો સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યું છે. વિધિપક્ષ( અંચલ)ગચ્છની અધિષ્ઠાયિકા વિ. સં. ૧૬૯૧ માં કવિ અમરસાગરસૂરિએ રચેલા, લાલણગોત્રવાળા વર્ધમાન-પદ્રસિંહ શ્રેષ્ઠિના સં. ચરિત્રના મંગલાચરણમાં, વિધિપક્ષમાં થયેલા શ્રેષ્ઠ સરિઆર્ય રક્ષિતને પ્રણામ કર્યા પછી ગ૭ની અધિષ્ઠાયિકા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy