SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી ભિમસિંહ અને માન પૂર્વક પિતાના નિયત કરેલા આસન પર બેસવા વિનંતી કરી. જ્યારે એજન્ટની પધરામણી થઈ ત્યારે રાણાશ્રીએ મેવાડની પરિસ્થિતિ તેમજ મરાઠાઓ અને સિંધી તરફથી જે જે વિપત્તિઓ સંકટો પડયાં હતાં તેનું હૃદયદ્રક વિવેચન કરી નામદાર બ્રિટિશ સરકારને અંત:કરણથી ઉપકાર માન્ય હતે. અને આજે આ ભવ્ય દરબાર અને અપૂર્વ શાંતિ જોવામાં આવતી હતી, તેને પ્રતાપ બ્રિટિશ સરકારને આભારી છે. જ્યારે બ્રિટિશ એલચીને માન આપ્યું. ત્યારે બ્રિટિશ એલચીએ પણ વિવેકસર તેને વળતો જવાબ આપી અને બેલ્યા કે અમો અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને અમારા ગવર્નર જનરલની એવી ઈચ્છા છે કે દરેક જગ્યાએ શાંતિ સ્થાપવી અને હિંદુસ્તાનની આગાહી કરવી આમ બેલ્યા પછી રાણાશ્રીએ બ્રિટિશ એલચીને એક ઉત્તમ પ્રકારે સજજ કરેલ એક હાથી એક ઉત્તમ ઘોડા રત્ન જડિત અલંકારો એક મુક્તાહાર એક શાલ અને એક કીનખાનને ડગલે આટલી વસ્તુઓ પારિતોષીક તરીકે આપી. અને અન્ય માણસને પણ ભિન્ન ભિન્ન જાતની વસ્તુઓ આપીને દરબાર વિસર્જન કરવામાં આવ્યું અને એજંન્ટ પિતાના મુકામ ઉપર ગયે. જ્યારે મહારાણું એજન્ટની મુલાકાત લેવા ગયા ત્યારે એજન્ટ પણે લાંબે સુધી સામે આવી શાણાશ્રીને માનપૂર્વક પોતાના સમીયાણામાં તેડી લાવ્યો અને ઘણી જ સુંદરતાથી સ્વાગત કર્યું. બ્રિટિશ એલચીએ પણ મહારાણુને એક હાથી બે ઘોડા સુવર્ણમય અલંકારે વેલ બુટ્ટાવાળી મખમલની એક મૂલ ને અનેક રાથી ભરેલા એકવીસ પાત્રો નજર કર્યા અને યુવરાજ જવાનસિંહને પણ એક અશ્વ અને ઝવેરાતથી ભરેલા નવ પાત્રો નજર કર્યા. તે ઉપરાંત રાજ્યકર્માચારીઓને આપવા વીસ હજાર રૂપિયા આપ્યા હતા. આ પ્રમાણે બ્રિટિશ એજંટનું માન સન્માન પુરૂ થયા પછી મહારાણાશ્રી પાછા પોતાના મુકામ ઉપર ગયા. મહારાણાગીના ચારિત્રમાં અત્યંત મહાન કે સર્વ મર્યાદા યુક્ત નહતું, પ્રજાનું પાલન કરવાના તેમનામાં સર્વ ગુણે હતા. પરંતુ તેમના મનની દુર્બળતાને લીધે પિતે કાંઈ પ્રજાકલ્યાણનું કાર્ય કરી શક્યા નહેાતા, બેટે આડંબર બહારને કેળ અને ખેટે દમામ અને સાધારણ વાતમાં આનંદ લેવો તથા મિસ્યા ઉદારતા આ દુર્ણને લીધે તેમનું જીવન વ્યર્થ થઈ ગયું હતું. તેમને જન્મથી જ દુખ અને દુઃખ જ જોયુ હતું. જ્યારે તેમને બ્રિટિશ સત્તાની સહાયથી શાંતિ ભોગવવાને પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે પિતે પ્રમાદી અને ઉઘવામાં જ પિતાને બધે ટાઈમ પસાર કર્યો. તેઓ કઈ પણ પ્રકારની ખટપટમાં પડવા માગતા નહોતા. રાજસ્થાનમાં તેમના જેવા બીજો કોઈ પણ રાજા નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy