________________
ર૭૨
મદિરપ્રવેસ અને સાસ વર્ણાશ્રમના અભિમાનને અસમંજસ અર્થાત અગ્ય કહે છે : કે વર્ણાશ્રમઅભિમાનવાન અસમંજસ માને.”
કહે છે કે “ઊંચ નીચ દેખે તે ભર્મ.' વળી કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શક તે ભલે હરિનાં જુદાં જુદાં અંગમાંથી પણ હરિના દેહમાંથી જ ઉત્પન્ન થયા છે. પછી એમાં નીચું કોણ કહેવાય?
ભૂત પંચને આ સંસાર, મૂરખ વહે તે વર્ણઅહંકાર; ભાત ચલાવા વણવર્ણ, કઈ મસ્તક હસ્ત કટિ ચણું;. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિને પિંડ અખા કાણુ યુદ્ધ ?”
વર્ણ અને આશ્રમના ધર્મને ફેંકી દેવા એમ એ નથી કહેતે. તેને અંગે જે કર્તવ્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ; નીતિની જે મર્યાદા હોય તે પાળવી જોઈએ. પણ વર્ણાશ્રમ એ કંઈ પરમ ધર્મ નથી; પરમ ધર્મ તો દેહની અંદર રહેલા પરમાત્માને. જે એ છે; તેથી વર્ણશ્રમના બાહ્ય આચારોમાં અટવાઈ રહેવું યોગ્ય નથી.
વર્ણાશ્રમશું વળગે અંધ, જાણે એ માયાને પંદ; લહેરે વળગ્યે કો નવ ત, નિજગળ આવ્યું તે ઊગર્યો; હાડચામ કાં દેખે ભૂર, અખા બ્રહ્મ રહ્યો ભરપૂર.” વળી વર્ગોના ભેદ પાછળ મૂળમાં તે ઐકય જ છે: બ્રાહ્મણ ક્ષત્રી વેશ્ય શૂદ્ર, વિધિવિધિના રે વિચાર; સરે જતાં તેનું એક છે, એના ઘાટ ઘડથા બે ચાર” ભક્તોની નાતજાતને વિચાર કરવાનો હેય નહીં, એ વિષે
“કહે પરમાત્મા સુણ તું આત્મા, સમજ તું વાત મહાસંત કરી; હરિજન રૂપ તે ઓળખે માહ૩, જાત ને વર્ણ ન પૂછીશ કેરી. . જાત ને વર્ણ આધીન કુલકર્મ છે, ઉત્તમ મધ્યમપણું કંઈ ન લાગે; કૃષ્ણ કહે માહરે જન જયારે થયે, કટિ કિલમિષ ભક્ત દેખી ભાગે.”
બ્રાહ્મણ ને અંત્યજ એ એક જ કપડું વણવામાં વાપરેલા સૂતરના રંગરંગના તાણાવાણા જેવા છે; પણ મૂળમાં તે બધું સૂતર જ છે.
“ભલી પાડી ભાત, વસન માંહે વ અખા; આજ અંત્યજ જાત, સૂતરથી અન્ય નહિ સરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com