SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનીતિ સમ્રાટ છના આપી સતિષતો હતો. કવિઓ સિવાય સમ્રાટના દરબારમાં ૧૪૨ પંડિતો તથા વૈદ્યો પણ હતા. તેમાં ૩૫ જણ હિંદુ હતા. તેમના ત્રણ જણ તે ભટ્ટાચાર્ય હતા. ચંદ્રસેન નામને એક વૈદ્ય વાઢકાપમાં બહુજ કુશળ ગણાતો હતો. આ સિવાય કેટલાએ એતિહાસિકેએ તથા કેટલાએ સાહિત્યસેવકોએ સમ્રાટની રાજસભા તથા સમ્રાટને રાજ્યકાળ શોભાવ્યા હતા, તેની ગણત્રી કરવી સહજ વાત નથી. અબુલફઝલ જે ગદ્યલેખક ભારતવર્ષમાં મુસલમાન સમાજમાં હજી સુધી કઈ જ નથી. ઊંઝી પિોતે મુસલમાન હોવા છતાં પણ તેણે સંસ્કૃતભાષાને અભ્યાસ કર્યો હતો. સમ્રાટે એક ઇતિહાસ વિભાગની સ્થાપના કરી હતી. તે વિભાગમાં વૈદ પ્રવીણ લેખકે નિરંતર ઇતિહાસ શોધવાનું તથા ઇતિહાસ લખવાનું જ કાર્ય કર્યા કરતા હતા. તે સિવાય સમ્રાટે એક અનુવાદવિભાગ પણ સ્થાન હતું. તે વિભાગમાં અનેક વિદ્વાને, વિવિધ ભાષાના ગ્રંથોના અનુવાદ કરવાનું જ કાર્ય કરતા હતા. એક વિદ્વાનને કેવળ એક ગ્રંથના ભાષાંતર બદલ જે દ્રવ્ય તથા ઇનામ આપવામાં આવતું, તેનો વિચાર કરીએ તો આપણને અત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહિ. તેની સાથે જ્ઞાન અને સાહિત્યની ઉન્નતિને માટે અકબર ઉદાર હાથે જે ખર્ચ કરતા તેને માટે પણ આપણને આ નંદાશ્ચર્ય થયા વિના રહે નહિ. અમે હવે પછી એ વિષયનું વર્ણન કરીશું. સમ્રાટની પાસે અમુક વંશ, કેમ કે ધર્મ કરતાં ગુણોને વિશેષ માન મળતું. અમુક વ્યક્તિમાં ગુણો છે, એમ જાણ્યા પછી તે કયી કેમ કે કયા ધર્મને છે તેની તપાસ કર્યા વગર જ તેને તે પુષ્કળ ઈનામ આપત. ગુણુ પુરુષોના ગુણેની કદર કરવા દર રવિવારે ઈનામો વહેંચવામાં આવતાં હતાં. તે સમયે હાથી, ઘોડા, પિોષાકે, રેકડ રકમ તથા કિંમતી આભૂષણદ્વારા ગુણી મહાજનેને નવાજવામાં આવતા. જો કેઈ મનુષ્ય સાધારણરીતે વિશેષ ગુણ ધરાવતા હોય તો તેને સમ્રાટ અકબર ભૂસંપત્તિ કિવા જાગીર આપવામાં પણ સંકોચ કરતા નહિ. માત્ર મુલાક્ષરના બે–ચાર શબ્દથી ઉત્તમ પુરુષને સતેષવાનો રિવાજ તે કાળે ભારતવર્ષમાં પ્રચલિત નહે. અત્યારે તેવા ગુણ પુરુષો પણ કઈ વિરલજ હશે અને તેથી સામાન્ય ગુણી મનુષ્યોને મૂલાક્ષરોના અમુક શબ્દો મળે તો તેમાં કાંઈ ખેદ કરો ગ્ય પણ નથી. સમ્રાટે અનેક પ્રયત્ન કરી સામ્રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશમાંથી ગુણવાન પુરુષોને પોતાની પાસે લાવ્યા હતા અને તેમને ખૂબ સન્માન આપી તથા સહદયતાપૂર્વક દ્રવ્યસંબંધી ભેટ આપી સંતુષ્ટ કર્યા હતા. અકબરે ઊંઝી, અબુલફઝલ તથા તાનસેન જેવા સમર્થ પુરુષોને કેવી રીતે પિતાની રાજસભામાં બોલાવ્યા હતા, તેનું વર્ણન અમે પૂર્વે આપી ચૂક્યા છીએ. તાનસેન સિવાય પણ અન્ય અનેક સંગીતશાસ્ત્રીઓ સમ્રાટના દરબારમાં સમ્રાટના ગુણોથી આકર્ષાઈને આવ્યા હતા. તાનસેનથી Shree Henthalami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy