________________
[ ૫૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ગઈ. સામ્રાજ્ય અને રાજાશ્રિત ધર્મ બન્ને, એક બીજાની પાછળ અધોગતિ તરફ તણાયા.
રાજાશ્રયે, જનસેવક જેવા આ ભિખુઓને જુલમગાર પણ બનાવ્યા. એક તરફ સામ્રાજ્યનું ધોંસરું અને બીજી તરફ આ ભિખુઓનું દેસ એમ બે ધુંસરાં પ્રજાના ગળે ભરાઈ ગયાં. ભિખુઓની વિરુદ્ધ નાના મોટા બંડ ઊઠેલા હોવાની હકીકત પણ મળે છે. આ બંડની સામે ટકી રહેવા ભિખુઓને રાજ્યની મદદ માંગવી પડી હતી. વૈદિક એટલે કે બ્રાહ્મણે વિગેરે, જે પિતાના વધારેપડતા ક્રિયાકાંડના ભારને લીધે અપ્રિય બન્યા હતા તેની જેમ જ આ ભિખુઓ પણ અશકના સમયમાં ખૂબ પરિગ્રહી, સ્વચ્છેદી, વિલાસી બનવાથી પ્રજામાં અકારા થઈ પડ્યા.
અશેકને જે વખતે અહીં અમલ ચાલતો હતો તે જ વખતે ચીનમાં પણ એના જેવી જ આકાંક્ષાઓ ધરાવતા એક સમ્રાટના વિચિત્ર વહેવારની કેટલીક હકીકત મળે છે. પંડિત જવાહરલાલ નેહરુના શબ્દમાં જ એ સાભળીએ:
“ચૌ નામના પ્રાચીન અને શક્તિહીન રાજવંશને હટાવી એક સરદારે રાજસત્તા ઝુંટવી લીધી ત્યારથી ચિન નામના રાજવંશને આરંભ થયેદ-ચિન રાજવંશ ઉપરથી જ ચીન દેશનું નામ પડયું. આ રાજવંશ અશોકને સમકાલીન છે.
પ્રથમના ચિન રાજવંશના ત્રણ રાજાઓ બહુ ન ટક્યા. પણ એમની પછી જે ચોથો રાજા આવ્યો તે એક વિલક્ષણ પુરુષ હતો. એનું નામ તે હતું વાંગ ચાંગ: પણ એણે પિતાનું જૂનું નામ બદલીને નવું નામ રાખ્યું. નવા નામનો અર્થ એ થાય છે કે “ચીનને પહેલે સમ્રાટ.”
એને પિતાના યુગનું ભારે અભિમાન હતું. જૂનવાણમાં એને મુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com