SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મેગ્નતા, ૧૨૫ થાપિ તેનું હૃદય ધર્મની આસ્થાવાળું હતું, તેના મનમાં ધર્મનાં કામ કરવાની ઘણી ઈચ્છા રહેતી, પણ તે પોતાના કુટુંબના મેહને લઈને કોઈપણ ધાર્મિક કામ કરી શકતા ન હતા. કઈ કઈવાર પિતાથી ધર્મનું કાર્ય નથી બનતું, એવું ધારી તે પિતાના મનમાં ઘણે પશ્ચાત્તાપ કરતો હતો. અને પિતાના આત્માને અધન્ય માનતે હતો. આ પ્રમાણે કેટલાક વર્ષો ગયા પછી એક વખતે તે કર્મવિદારીની સ્ત્રીના પિતાને ઘેર વિવાહને પ્રસંગ આવ્યું, તે શુભ પ્રસંગ ઉપર તેના પિતાએ પિતાની પુત્રીને પુત્ર સહિત અગાઉથી બોલાવી. પિતાને ઘેર વિવાહને પ્રસંગ જાણ તે સ્ત્રીએ પિતાને પિયર જવાન ઉમં. ગથી તે કર્મવિદારીની આજ્ઞા માગી. કુટુંબ મેહને લઈને એ વાત કમવિદારીને ગમી નહિ, પણ પોતાના સાસરાના આગ્રહથી તેણે પિતાના બંને પુત્ર સાથે પિતાની સ્ત્રીને તેના પિયરમાં મેકલી, અને પિતે લગ્નને દિવસે ત્યાં આવવાને કહ્યું. * સ્ત્રી તથા બંને પુત્રના જવાથી કર્મવિદારીને પિતાના ઘરમાં ગમ્યું નહિ. કેટલાક દિવસ સુધી તે તેને બેચેની રહી, અને તેના હૃદયમાંથી સ્ત્રી તથા પુત્રનું મરણ ગયું નહિ. એક દિવસે કઈ મહાત્મા તેને ઘેર ભિક્ષા લેવાને આવ્યા, મ હાત્માને જોઈને કર્મવિદારી –મહારાજ, મારે ઘેર કેઈનથી, તેથી કોણ ભિક્ષા આપે ? આટલું કહી તે પાછા ફરીવાર બેલ્ય“મહારાજ, હું ઘણો દુઃખી છું, મારું કુટુંબ પરગામ ગયું છે, મને આ ઘરમાં એકલું ગમતું નથી.” કર્મવિદારીનાં આ વચન સાંભળી તે દયાળુ મહાત્માએ વિચાર્યું કે, “આ કોઈ કુટુંબહિત ગૃહસ્થ છે, માટે તેને ઉદ્ધાર કરે. આવા મૂઢ પ્રાણને ઉપદેશ આપવાથી ઘણે ઉપકાર થાય છે.” આવું વિચારી તે મહાત્માએ તે ગૃહસ્થને ઉપદેશ આપે, અને પોતે તેના હૃદયમાં સારી અસર કરી તેની સાથે રહેવા લાગ્યા. કર્મવિદારી અને તે મહામાં પરસ્પર મિત્રવત્ થઈ એકતાને પ્રાપ્ત થયા. તે પ્રતિબંધ પામેલ કર્મવિદારી તે મહાત્માની ઉપર એવે આસક્ત થઈ ગયે કે, તે પોતાની સ્ત્રી તથા બે પુત્રોને તદ્દન ભૂલી ગછે. પિતાના સાસરાને ઘેર લગ્નને નજીકને દિવસ આબે, તે પણ તે ત્યાં ગયે નહિ, અને પેલા મહાત્માની સાથે રહી અનુપમ આનંદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy