SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ : 24: પાક્તિ ધર્મ જૈન ધમ કહેવાય છે. જૈન ધર્મના માહત્શાસન, સાદાદદાઁન, અનેકાન્તવાદ, વીતરાગમાગ એવાં અનેક નામથી વ્યવહાર કરવામાં આવે છે. જેમને, આત્મસાધનને અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં ( જન્મમાં ) કર્મક્ષય થવાના પરિણામે ચૈતન્યસ્વરૂપના પૂ વિકાસ થયા છે, તે તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્માને જૈનશાસ્ત્રો એ વિભાગેામાં સમજાવે છે. પહેલા વિભાગમાં તીર્થંકરા ′ આવે છે, કે જે જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાન અને અલૌકિક સૌભાગ્યસ ંપન્ન દ્વાય છે. અનેક વિશેષતાઓ તીથ કરાના સબન્ધમાં જણાવી છે. રાજ્ય નહિ પ્રાપ્ત થયા છતાં પણુ આગળ ઉપર રાજ્ય મળવાનું હેાવાથી રાજકુમારી જેમ રાજા કહેવાય છે, તેમ તીર્થંકરા આલ્યઅવસ્થાથી કેવલજ્ઞાનધારી નહિ હૈાંવા છતાં અને અતએવ તેમાં વાસ્તવિક તીથ કરત્વ નહિ હોવા છતાં પણુ, તે જિન્દગીમાં તીર્થંકર થનાર હાવાથી · તીર્થંકર ' કહેવાય છે. એને જ્યારે કમ આવરણાના ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે, ત્યારે તેઓ તીથની સ્થાપના કરે છે. ‘ તીર્થં ' શબ્દને અર્થસાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ છે. તીર્થંકરના ઉપદેશના આધારે તેઓના સાક્ષાત્ મુખ્ય શિષ્યા જેઆ · ગણધર ' કહેવાય છે—શાઓની રચના કરે છે, જે ખાર વિભાગેામાં વિભક્ત હાય છે. એનુ નામ છે હ્રાદશાંગી. ' દાદ્શાંગીએટલે ખાર અ ંગાના સમૂહ. ‘ અંગ · એ, તે પ્રત્યેક બાર વિભાગનું સૂત્રાનું પારિભાષિક નામ છે. લેવાય છે. આવી રીતે તેઓ . • ', . · તીર્થં શબ્દથી આ દાદશાંગી પણ તીના કરનાર હાવાથી તીથ કર કહેવાય છે. ઉપર બતાવેલી વિશેષતા વગરના કૈવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્મા, તીર્થંકરાના વિભાગથી જૂદા પડે છે. એએને સામાન્યવલી કહેવામાં આવે છે. ૧. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy