________________
આપણું લેકેએ આવું કઈ પુસ્તક બહાર પાડેલું નથી કે જે હું તેઓને આપી શકું. હર્મન યાકેબી અને તેમના શિષ્ય ગ્લાસેનાએ જર્મન ભાષામાં આવાં પુસ્તકે લખેલ છે. પણ જેનધર્મ વિષે તદ્દન અજ્ઞાન મનુષ્ય માટે ટૂંકાણમાં અને સરલ ભાષામાં તેઓ સમજી શકે તેવું પુસ્તક હજુ સુધી મને મળ્યું નથી.
આવા પુસ્તકની જરૂરિયાત હિંદુસ્તાનમાં પણ છે. જો કે તે તરફ કઈ અન્ય વ્યક્તિનું ધ્યાન ખેંચાયું દેખાતું નથી.
ઘણા યુરોપિયને, અમેરિકને અને અન્ય દેશના માણસો હિંદુસ્તાન જોવા દર વર્ષે આવે છે. આવા ટુરિસ્ટ અથવા તે મુંબઈ જેવા બંદરે સ્ટીમરના મુસાફર શહેર જોવા આવે છે, ત્યારે તેમને આપણા મંદિર–ખાસ કરીને વાલકેશ્વરનું મંદિર–બતાવવામાં આવે છે. આ મુસાફરે આપણું મંદિર તેમજ તેમાં રહેલી આપણી મૂર્તિઓ જોઈ આપણું જેનધમ વિષે જાણવા અને સમજવા મંદિરના મહેતાજી અથવા હૈયાને કે ભાડાની મેટરના ડ્રાઈવરને સવાલ પૂછે છે. આવા ભાડુતી માણસે તેમને શું સમજાવી શકે? આ મુસાફરે આપણું મહાન તીર્થો જેવા કે પાલીતાણા, આબુ વિગરેની મુલાકાત પણ લે છે. આ બધાને અંગ્રેજીમાં લખેલું જૈનધર્મનું એક નાનું પુસ્તક ગાઈડ તરીકે આપીએ તે તેઓ મારફતે જૈનધર્મને સંદેશો જરૂર દૂર દૂર સુધી પહોંચી શકે.
આ રીતે આવા પુસ્તકની જરૂરિયાત મને ઘણું જ અગત્યની લાગી અને આપણે કેટલાક સાધુઓને આ વાત મેં જણાવી. મારો વિચાર એ હતો કે જે કઈ વિદ્વાન સાધુ આ જાતનું પુસ્તક ગુજરાતી ભાષામાં લખી આપે તે તેને અંગ્રેજીમાં તરામે કરાવી બને ભાષામાં પુસ્તક છપાવી બહાર પાડવું, પરંતુ કેઈ સાધુએ આ કાર્ય કરવા તત્પરતા દર્શાવી નહિ. સાધુઓની આશા છોડી મેં અંગ્રેજી જાણનાર જૈન વિદ્વાને શૈધવા માંડ્યા કે જેઓની પાસે આ જાતનું પુસ્તક લખાવું. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com