SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. ઉપરે પ્રમાણેની “અનન્ત” શબ્દની વ્યાખ્યા જોતાં ચાલુ શંકા રહેતી નથી; સુક્ષ્મ વખતને જૈનશાસ્ત્રોમાં “સમય” કહે છે. “સમય” એટલે સુક્ષ્મ વખત છે કે તે સમયે એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે, તે આપણાથી જાણી શકાય તેમ નથી. એવા અનત સમયે આખા ભૂતકાલના, વર્તમાનકાલને ચાલુ એક સમય અને ભવિષ્યકાલના અનન્ત સમય-એ ત્રણેને સરવાળે થતાં જેટલા અનન્તાનઃ સમય થાય, તેનાથી પણ છે અનન્તગુણ અનન્ત છે. આ ઉપરથી જોઈ શકાય છે કે-અનન્ત ભવિષ્યકાલે પણ જીવરાશિની પણ સમાપ્તિ થઈ શકે નહિ. જેટલા જેટલા દિવસે અને વર્ષો પસાર થતા જાય છે, એટલે એટલો. ભવિષ્યકાલમાંથી ઘટાડે થતું જાય છે, પ્રતિક્ષણ ભવિષ્યકાળમાંથી ઘટાડે થતા રહે છે, એ સમજી શકાય તેમ છે. આમ હોવા છતાં પણ ભવિષ્ય. કાલને અંત આવે, ભવિષ્યકાલના દિવસને અંત આવે, બીજા શબ્દોમાં-ભવિષ્યકાલ તદ્દન ખલાસ થાય, એવી કલ્પના કેઈને પણ ઊભી થઈ શકતી નથી; તે આવી રીતના અનન્ત ભવિષ્યકાલના અનન્ત સમય કરતાં પણ જ્યારે સંસારી જીવો અનન્તાનત છે, તેમાંથી ક્ષણે ક્ષણે છ નિકળવા છતાં પણ–તેને અંત આવે, એ કલ્પના કેમ ઊભી થઈ શકે ? ક્ષણે ક્ષણે સંસારમાંથી જીવો નીકળવા છતાં પણ અનન્ત ભવિષ્ય કાલે અન્ન આવે નહિ-છેડે આવે નહિં, એટલા અનન્ત સંસારી છે સમજાયા પછી પ્રસ્તુત શંકા રહેશે નહિ. જીવન વિભાગ, સામાન્ય રીતે જીવના બે ભેદ પડે છે સંસારી છે અને મુક્ત છે. સંસારમાં ભ્રમણ કરતા છ “સંસારી” કહેવાય છે. “સંસાર” શબ્દ “” ઉપસર્ગપૂર્વક “ફ” ધાતુથી બનેલ છે. “” ધાતુને અર્થ “ જમણુ” થાય છે. “” ઉપસર્ગ તેજ અર્થને પોષણ કરનાર છે. ચોરાસી લાખ છવયોનિમાં પરિભ્રમણ કરવું, તે સંસાર અને પરિભ્રમણ કરનારા સંસારી કહેવાય છે. બીજી રીતે, “સંસાર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy