SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દને અર્થ રાસી લાખ ઝવનિ પણ થઈ શકે છે. આત્માની કર્યા અવસ્થાનું નામ પણ સંસાર છે. શરીરનું નામ પણ સંસાર છે. એ રીતે સંસારને વળગેલા છવો સંસારી કહેવાય છે. આ ઉપરથી કર્મ બહ અવસ્થા, એ સંસારી જીવોનું લક્ષણ સહજ સમજી શકાય છે. સંસારી જીના અનેક રીતે ભેદ પડી શકે છે, પરંતુ મુખ્ય બે ભેદ છે-સ્થાવર અને ત્રાસ. દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિચેષ્ટા, ગતિ-ચે જ્યાં ન દેખાય તે સ્થાવર, અને દેખાય તે ત્રસ. પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પસ્તિકાય એ પાંચને સ્થાવરમાં સમાવેશ થાય છે. એ પૃથ્વીકાય વગેરે પાંચ, એક સ્પર્શન (ચામડી) ઈદ્રિયવાલા હોવાથી એકેન્દ્રિય કહેવાય છે. એના બે ભેદે છેસક્ષ્મ અને બાદર. સર્ભ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય છવો આખા લેકમાં વ્યાપી રહેલા છે.' એ અત્યન્ત સૂક્ષ્મ હોવાથી આપણી ચક્ષુથી જોઈ શકાતા નથી. બાદર પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર તેજસ્કાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઘર્ષણ, છેદન આદિ પ્રહાર જેને લાગ્યો ન હોય, એવી માટી, પત્થર વગેરે પૃથ્વી, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે છે બાદર પૃથ્વીકાય જાણવા. જે જલને અગ્નિ વગેરેથી આધાત ન થયો હોય, તે જળ-કૂવા, તળાવ વગેરેનાં જે જેનાં શરીરનું પિંડ છે, તે બાદર જલકાય છે સમજવા. એ પ્રમાણે દીવા, અગ્નિ, વિજળી વગેરે–જે છનાં શરીરનું પિંડ છે, એ બાદર તેજસ્કાય છે છે. અનુભવાત વાયુ, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે જીવો ૧. તમામ પોલાણ સૂમ છથી ભર્યું છે, એમ વર્તમાન વૈજ્ઞાનિકોનું પણ માનવું છે. વૈજ્ઞાનિકોએ એ પણ શેધ કરી છે કે સેથી નાનું પ્રાણું ચેકસસ નામનું છે. આ જવુએ એક સેયના અગ્રભાગ પર એક લાખ બેસતાં પણ ગરદી નહિ થતાં ખુશાલીથી બેસી શકે છે. ૨. બાદર એટલે સ્કૂલ. “બાદર’ એ જૈન શાઅને પારિભાષિક શબ્દ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy