SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જગન્નાથની મૂર્ત્તિ અને ભારતનું ભવિષ્ય બંધુઆ ! મુસમાાના હવે આપણા આ ધર્મસ્થાનપર પણ આક્રમણ કરવામાટે આવી પહોંચ્યા છે, ત્યારે આપણા પણ એ જ ધર્મ છે કે, | અનંતા પ્રયત્ને આ પવિત્ર જગન્નાથપુરીનું રક્ષણ કરવું. તમારા શા અભિપ્રાય છે ?” *મહારાજ ! અમારા પણ એ જ અભિપ્રાય છે કે, પ્રાણ જાય ત્યાં સુધી લડવું, લડવું અને લડવું જ !” એક શૂરવીર ચેાધાએ ઉત્તર આપ્યું. “ આર્યે વીર ! જય મળશે કે પરાજય, એ વાર્તા તા ઈશ્વરાધીન છે. પરંતુ પ્રાણ જતાં સુધી અમે અમારા ધર્મનેા ત્યાગ કરીશું નહિ.” એક ખીજાવીરે એ ઉદ્ગાર કાઢ્યો. “તમારા અભિપ્રાય યથાર્થ છે. આર્યોંને એ જ ઉચિત છે. મારા કહેવાના ભાવાર્થ એવા છે કે, બધાએ સાવધાન રહેવું.” પ્રભાતકુમારે કહ્યું. પરંતુ યયના સર્વદા અધર્મયુદ્ધ કરે છે, એમ જે સાંભળવામાં આવે છે, તે સત્ય કે અસત્ય છે.” ચક્રધર મિશ્ર પ્રશ્ન કર્યો. દ “સત્ય છે. પરંતુ યવના અધર્મથી લડતા હાય, એટલે આપણે પણ અધર્મયુદ્ધ કરવું એઇએ, એવા કાંઈ નિયમ નથી. આર્ય વીરે કાઈ કાળે પણ અધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થતા નથી. અગ્રભાગે રહીને લડવું તેનું નામજ લડવું છે. જે આપણે જિતીશું તેા તીર્થભૂમિના ઉદ્ધાર થશે, અને મરીશું તેા સ્વર્ગ મળશે. આપણા ઉભય પક્ષા લાભદાયક છે. વળી પ્રભાતજીવીશું કે મરીશું, તેપણુ યશસ્વી તે! આપણે થવાના જ. કુમારે સર્વના ઉત્સાહ વધારવા માટે લાગણીથી કહ્યું. . વીરવર્ય! એમાં શા સંદેહ છે? અને વળી કદાચિત્ આપણે અધર્મયુદ્ધ આચરીએ, તેાપણુ વિજયના કાંઈ નિશ્ચય નથી. આપણા કરતાં યુવનાની સૈના બહુ જ વધારે છે.” એક સત્ય વીરે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો. “છતાં પણ એમની સાથે લડવું તેા છે જ, તમે સર્વે ચતુર છે, માટે વિશેષ કહેવાની કાંઈ પણ આવશ્યકતા નથી. તમને સાવધ રહેવાના ઉપદેશ આપવા, એ બે કે યોગ્ય તેા નથી જ, તાપણુ મારા અધિકાર મને તેમ કહેવાની ફરજ પાડે છે; તેની ક્ષમા કરશેા.” પ્રભાતે પાતાના નમ્ર ભાવ દર્શાવ્યા. કાંઈ ચિંતા નહિ.જેવું આપણા ભાગ્યમાં લખ્યું હશે, તેવું ફળ આપણને મળશે. વધુ આગળ અને મેલા જય શ્રી જગન્નાથના જય ? સર્વેએ એક સમયાવચ્છેદે ગગનભેદક ધ્વનિ ક્યોઁ. એટલામાં રણવાદોના ધ્વનિ થવા લાગ્યા. યવનેાએ પુરીના બહિર્લોગમાં ઉભા રહીને યુદ્ધની ભયંકર ધેાષણા કરી. અશ્વારેાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy