SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ राजा वीरधवलना समयनी शिलालेख ૧૨ સુમતિસંપન્ન જન સર્વ કાર્યોને ત્યાગ કરી શંકરના શ્વાસોશ્વાસ ગણું શકે, માર્કડેય મુનિ ની આંખના પલકારા ગણી શકે અથવા ચંદ્રમાંથી ઝરતાં અમૃતબિંદુ ગણવા પ્રયત્ન કરે. પણ સત્રને અપાતી સ્તુતિની મહાન સંખ્યા કેઈ ગણું શકે નહીં. અધરાજ જેના વંશજે સુકૃત્ય અને સહાય કેમ કરવાં તે જાણે છે, તેની કીર્તિ સદૈવ સર્વ દિશામાં પ્રસરે. પ્રજ્ઞ અને નિર્મળ હદયને હેમમતિ ચડપના પ્રતાપી વંશને ગુરૂ હતું. તેના પછી સત્કાર્ય કરનાર શાન્તિ સૂરિ હતો અને પછી ઉદય થતા શશિના કિરણ જેવા ઉજજવળ રૂપવાળો ચન્દ્રામરસુરિ આળે. તેના પછી........................પ્રતાપી જૈન મતના ઉદ્યાનમાં નવા વાદળ સમાન............ તેને વિખ્યાત અને..............મહાવિદ્યાવાળો મેરૂ મુનિશ્વર હતો. ઉદય પ્રભસૂરિ જ્ઞાનામૃત અને ધંધન સંચય (નિધિ) છે. તેની સાગર સમાન બુદ્ધિ મક્તિક સરખા આદેશ આપે છે. આ ધર્મસ્થાન અને ધર્મસ્થાન સ્થાપનાર અર્થદ પર્વતના કાળ સુધી વૃદ્ધિ પામો. ચૌલુક્ય નથી સેવન થતા ચરણવાળા શ્રી સોમેશ્વરથી આ ધર્મસ્થાનની આ સુંદર પ્રશસ્તિ રચાએલી છે. શ્રી નેમિનાથ અને અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુપાલના અન્વયને અર્બુદાચલમાં લાભકારી અને મહિમાવાળી નિવડે. આ પ્રશસ્તિ ગજધર કનડના પુત્ર કડવાએ કોતરી હતી. વિક્રમ સંવત ૧૨૬૭ ફાગણ વદી ૧૦ બુધવારે. લેખ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy