SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ चाहमान भर्तृवानां हासोटना ताम्रपत्रो * ૨૩૨ પહેલાંના ભજવના રાજ્યના અને વાલીઅરના લેખમાં આવે છે તે નાગભટ્ટ હેવાની અટકળ કદાચ સાચી હોય. પ્રતિહારની વંશાવળી એમાં કિહેનના કરતાં એક પેઢી ઉપર જાય છે. વિષ્ણુને નમસ્કાર કર્યા બાદ સૂર્યનું વર્ણન આવે છે, જેના વંશમાં રામ જમ્યા. રામને ભાઈ સૌમિત્રિ (લક્ષમણુ) મેઘનાદ સાથેની લડાઈમાં હઠાવનાર અગર દ્વારપાલ તરીકે વર્યો હતો. તેના વંશમાં નાગભટ્ટ પહેલે થયે જેણે વલચ સ્વેચ્છર એટલે કે બલુચના લશ્કરને હરાવ્યું હતું. તેના ભાઈને દીકરે કકકુક હતું જેને નાનો ભાઈ દેવરાજ હતું, જે કીહેનના લીસ્ટમાં મહારાજ દેવશક્તિ હોવું જોઈએ. દેવરાજને પુત્ર વત્સરાજ હતું અને તેને પુત્ર નાગભટ્ટ બીજે હતું જે શૂરવીર યોદ્ધો હતો અને તેણે ચકાયુદ્ધને હરાવ્યો હતો. હર્ષ અને પથારી લેખને નાગાવલક આ બીજે નાગભટ્ટ હવે જોઇએ અને હસેટના પતરાને નાગાવલોક નાગભટ્ટ ૧ લે હોવાનું મી. ભાંડારકર કલ્પે છે અને તેને હું મળતું આવું છઉં. જે વત્સરાજ ઇ. સ. ૭૮૩ માં રાજ કરતા હતા તે નાગભટ્ટને તેના દાદાને ભાઈ હતા તે ઈ. સ. ૭૫૬ માં ગાદીએ બેઠેલે હોય. વાલીઅરના લેખના શબદ ઉપરથી અટકળ થઈ શકે છે કે નાગભટ્ટને ભાઈ જે કકકુક અને દેવરાજને પિતા હતે તેણે રાજ્ય કર્યું ન હતું અથવા તે નાગભટ્ટથી માટે હવે જોઈએ, કારણ નામ આપ્યું નથી તેમ તેની કાંઈ વિગત આપી નથી. પ્રમાણમાં ટુંકી અને સાધારણ સ્તુતિ ઉપરથી એમ સમજી શકાય કે કકકુક અને દેવરાજને રાજ્ય કાળ ટેકો હવે જોઈએ અને હસેટના દાનને કાળ અને ઈ. સ. ૭૮૩ જ્યારે વત્સરાજ ગાદીએ આવી ગયું હતું તે બન્ને વચ્ચેના ૨૭ વર્ષના ગાળામાં તેને સમાવેશ થઈ શકે. હું તેટલા માટે મી, ભાંડારકર સાથે મળતો આવું છુંઉં કે ભવન સર્વોપરી રાજા નાગાવલોક તે પ્રતિહાર વંશને નાગભટ્ટ ૧ લે હતું. તેનું કુટુંબ તે વખ્ત કરેજમાં સ્થપાયું ન હોત, પણ વધુ પશ્ચિમ તરફ તેની રાજધાની હતી. હરિવંશપુરાણમાં વત્સરાજને પશ્ચિમ વિભાગના રાજા તરીકે વર્ણવ્યો છે. અને જે અવન્તિ એટલે માળવાને રાજા પૂર્વ વિભાગ ઉપર અમલ ચલાવતું હતું, એ હકીકત ધ્યાનમાં લઈએ તે તે વિભાગ લાટ અને પશ્ચિમ રજપૂતાના હાઈ શકે અને નાગાવલોક ભરૂચના ચાહમાનને સર્વોપરી રાજા હતા તે હકીકત બંધબેસતી આવે છે. સૌશપદ્રમાં રહેતા ભટ્ટ વા ને પુત્ર બ્રાહ્મણ ભાટલ. સૌ પદ્ધ અને વરમેની નામો સ્પષ્ટ વચાતાં નથી અને તે ઓળખી શકાયાં નથી. દાનને લેખક ભટ્ટ વસુવને પુત્ર ભટ્ટ ક હતા તેને વાલક્ય એટલે વલસિંમાંથી આવેલા લખ્યું છે. આ ઉપરથી એમ કલપના થાય કે આ ભતૃવના કુટુંબને વલમિના મૈત્રકો સાથે કાંઈ સંબંધ હોય. ૧ આઈ. સ. એફ. ઈ. વા. વી. ૧૯૭૩-૪ પા. ૨૭૭. ૨ જુઓ સુધારા ઈ. એ. વો. ૪૦ પા. ૨૪૦નો.૧ર. લેખ ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy