SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ भीमदेवना पालणपुरनां ताम्रपत्रो નીકળે છે. ભીમદેવ પછીને કર્ણદેવ મેરૂતુંગ પ્રમાણે વિ. સં. ૧૧૨૦ ચૈત્ર સુ.૩ શનિએ ગાદીએ આવ્યો. આ દાનપત્રની તિથિ કાર્તિક મહીનાથી શરૂ થતા વિક્રમ સંવત મુજબ માનીએ તે કર્ણદેવની સાલની સાથે બંધબેસતી આવે છે. ભીમદેવ ૧૧૨૦ ના પષ અને પૈત્ર માસની વચમાં ગુજરી ગયો હવે કોઈએ. ગણત્રી મુજબ મેરૂતુંગે આપેલી કર્ણની સાલ ઈ. સ. ૧૦૨૫ ના માર્ચની ૧૨ મી તારીખ શનિવાર (દક્ષિણના વિ. સં. ૧૧૨૧) સાથે મળતી આવે છે અને તે આ દાનપત્રથી ૧ વર્ષ પછી હોવી જોઈએ. કર્ણની પહેલામાં પહેલી સાલ આપણને તેના નવસારીના દાનપત્રમાંથી શક સં. ૯૬ અને વિ. સં. ૧૫૩૧ (૧૦૭૪ ઈ. સ.) મળે છે. ચાલુક્યના વંશપરંપરાના લેખકના કુટુંબમાંના કાયસ્થ વટેશ્વરને દીકરે કેક આ દાનને લેખક હતું. ભીમદેવના રાધનપુરના દાનપત્રને લેખક વટેશ્વર હતું અને કર્ણનાં નવસારી અને સૂનકનાં પતરાને લેખક કેલ્કક હતે. દૂતક સંધિ વિગ્રહને અધિકારી ભેગાદિત્ય હતે જે નવસારીનાં તામ્રપત્રમાં હતે. સ્થળેનાં નામ પૈકી છલા કે જ્યાં રાજાની છાવણી હતી તે પાલણપુરની અગ્નિ ખુણે મહીકાંઠા એજન્સીમાંનું હાલનું ઈલોલનું રાજ્ય હોઈ શકે, ઉત્તર ગુજરાતમાંનાં ગામોને છેડે એલ (જેમ કે હાલોલ, કાલોલ, પાલોલ ) તે હાલના પરર્સ પૂર્વે સ્વ૫ ઉર અને ઉલ થઈને થયું હોવું જોઈએ તેથી ઈલેલનું સંસ્કૃત રૂ૫ ઇલાપુર થવું જોઈએ. બીજા સ્થળે મળી શક્યાં નથી. ૧ જ, બાં. બે, જે. એ.સો, , ૨૧ પા. ૨૫૨, ૨ એ ઈ, , ૧ પા. ૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy