SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ આ લેખ પણ, રાયલ એશિયાટિક સોસાયટિની લાયબ્રેરીમાંથી ૧૮૭૯ માં તપાસવા માટે મને મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરું છું. આ લેખ અગાઉ પ્રસિદ્ધ થયે નથી. આ પતરાં કયાંથી મળ્યાં તે હું જાણતું નથી. આ લેખને લિગ્રાફ હવે પછી ઇડિયન ઈનિકપશન્સ, નં. ૧૧ માં પ્રસિદ્ધ થશે. આ ત્રણ પતરાં છે. તેમાં પહેલું અને બીજું એક જ બાજુએ કરેલું છે. દરેક પતરું લગભગ ૧૧છુ” માપનું છે. તે તદ્દન લીસાં છે. તેના કાંઠા જાડા અથવા વાળેલા પણ નથી. પરંતુ સુરક્ષિત સ્થિતિમાં છે, અને આખું લખાણ સહેલાઈથી વાંચી શકાય છે. પહેલા અને ત્રીજા પતાના માનમાં લખાણની નીચે, તથા બીજા પતરાની પાછળની બાજુઓ તેના અનુક્રમે એક લખ્યા છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા બેના ઉપરના ભાગમાં તેને રડવા માટે એ કડીનાં કાણુઓ છે. કડી ઘાબાની અને સાદી છે. અને તે ” જાડી તથા ર” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે એ કડી કાપેલી હતી તેની ઉપર મુદ્રા લગાડેલી અથવા કાઢી લીધેલી હેવાની નિશાની નથી. આ દાનપત્રની જે મુદ્રા હોય તે તે ઉપલબ્ધ નથી. પતરાંના સ્થળ અને સમયને ચગ્ય લિપિ છે. તેમાં ૨ થી ર૯ પંક્તિઓમાં અને પતરાંના અનુક્રમમાં ૧ થી ૬ સુધીના તથા ૯ માટેના દશાંશ આંકડા આપ્યા છે. અક્ષરનું સરાસરી કદફ” છે, પરંતુ આ કદ એક સરખું જાળવેલું નથી. કેતરકામ સારું અને ચેપ્યું છે, ભાષા સંરકૃત છે, અને એક આશીર્વાદ તથા શાપને લોક જે ૪૭-૪૮ પંક્તિમાં આપે છે, તે સિવાય આ લેખ ગામમાં છે. તેમાં ભલે ઘણી છે; પરંતુ, ૧૭ મી પંક્તિમાં કાવીના રાજા નાગાર્જુનને સંતોષકારક પાઠ, જે આ વંશનાં અન્ય કોઈ પ્રસિદ્ધ થયેલાં દાનપત્રમાંથી મળતું નહોતે, તે આમાંથી મળે છે, એ વિચિત્ર છે. આ લેખ અણહિલવાડના થૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાના સમયને હવાનું લખ્યું છે. પરંતુ તેમાં લખેલું દાન કેઈ ઉતરતા દરજજાના માણસેએ કંઈ ગોઠવણ કર્યાનું કહે છે. લેખ સાંપ્રદાયિક નથી. તેને હેતુ એક ખેતી માટે કુવે તથા તે સાથેના હવાડાના પોષણ માટે આપેલાં જમીનનાં દાનેની નેધ લેવાને છે. અહિલપાટક, અથવા આ અને બીજા લેખમાં લખ્યું છે તેમ, અણહિલપાટક જે શહેરમાં લેખ લખવામાં આવ્યું હતું તે સિવાયનાં બીજ સ્થળે નીચે મુજબ દર્શાવેલાં છે. વાટેલાણું, જે ગામમાં તે કુવો તથા હવાડ હતાં; આકવલીયા, ભૂદરડા, સાકલી, સમડીયા, સીવાલીયા, અને વરડી ગામે, તથા ષડી નદી જે દાનની વિગતમાં આપી છે; બ્રહ્મપુરીનું ગામ અથવા ગામ, જે સાક્ષીઓની યાદીમાં આપ્યું છે, અને ધર્મવહિ- શહેર અથવા ગામડા જેવું લાગે છે—જે સ્થળે કે દાનપત્ર દાન લેનાર પુરૂષને, વાધીન કર્યું હતું તથા તામ્રપત્ર ઉપર કેતરાયું હતું. ૧ ઈ. એ. વ. ૧૮ ૫. ૧૧-૧ જે, એક લીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy