________________
मूलराजनुं दानपत्र વસ કરવાથી જયસિંહને સિદ્ધરાજ નામ પ્રાપ્ત થયું એમ પણ ઘટાવે છે. બધે ઊહાપોહ કર્યા પછી એમ સંભવે છે કે બર્બરક ઉત્તર ગુજરાતમાં રહેતી કેાઈ અનાર્ય જાતિને એટલે કે કેળી. ભીલ અગર મેહેર જાતિને હશે.
કુમારપાલના રાજ્યના અનેક ઉપયોગી બનામાંથી શાકભરીના રાજાને જિલ્લા બાબતનું જ
લેખ નં. ૩ થી ૧૦માં છે. ત્યારપછીના રાજા અજયપાલ સંબંધી જૈન ગ્રંથકાર બહુ જ જુજ લખે છે. કારણ કે તેને તે ધિકારતા હતા. તેને પરમ માહેશ્વર અને મહા માહેશ્વર લખ્યો છે તેથી જૈનધર્મ તરફની વિમુખતા સ્પષ્ટ થાય છે. તેણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને જીવતા બાળી મૂક અને જૈનનાં મંદિર તેમ જ પુસ્તકને નાશ કર્યો. તેની પછીના મૂળરાજ બીજાના રાજ્ય સંબંધી એક જ બનાવ જૈનગ્રંથકારેએ વર્ણવ્યો છે. અને તે તેની મુસલમાન ઉપરની જિત છે. ગર્જનક તે ગઝનવીનું સંસ્કૃત રૂપ છે. મેરૂતુંગ તેઓને ગજજનક લખે છે. કીર્તિકૌમુદીમાં સં. ૨ ગ્લા. ૫૭ માં આ મૂલરાજે તુરૂષ્કના પાદશાહને જીત્યો એમ લખેલ છે. મી. ફેન્સે પણ તે જિત ખરેખરી અટકળી છે.
ત્યાર પછીના રાજા ભીમદેવ બીજાના અગર ભોળાભીમના રાજ્ય માટે લેખે બહુ ઉપયોગી છે. ગુજરાતી ગ્રંથકારે મી. ફેર્મ્સના સમયમાં જણુએલા તેમજ અત્યારે જણાએલા પણ તેના રાજ્ય માટે બહુ જ થોડું લખે છે. મેરૂતુંગ અને સેમેશ્વરને આ ભીમ માટે મમતા નહોતી. તેઓનું ધ્યાન, ગુજરાતના ભાવિ રાજાના બાપ, ધવલગ્રહ અગર ધોળકાના રાણું વરધવલ તરફ અને તેના બે જૈન મંત્રીઓ તેજપાલ અને વસ્તુપાલ તરફ ખેંચાયું હતું. મી. ફેન્સે તેટલા માટે ચાંદના પૃથિરાજ રાસા ઉપર તેમ જ પાછળના મુસલમાન મંથકારે જે ભોંસાપાત્ર નહાતા તેના ઉપર આધાર રાખેલ છે. ચાંદ ભીમને ઈ. સ. ૧૧૯૩ પહેલાં મરેલો વર્ણવે છે. મી. ફેબ્સ તેને ઇ. સ. ૧૨૧૫ માં મુએલો વર્ણવે છે. ઈ. સ. ૧૨૩૧ ના આબુના લેખમાં ભીમને જીવતે લખ્યું છે અને તે લેખને ઉલ્લેખ મી. ફાર્મ્સ કરે છે. છતાં ઈ. સ. ૧૨૧૫ માં ભીમને મુએલે કેમ કહચે તે સમજાતું નથી. મેરૂતુંગ પણ પ્રબન્ધચિતામણિમાં લખે છે કે ભીમદેવે વિ. સં. ૧૨૩૫ પછી ૬૩ વર્ષ સુધી એટલે કે વિ. સ. ૧૨૯૮ અગર ઈ. સ. ૧૨૪૧-૪૨ સુધી રાજ્ય કર્યું. આપણું લેખોમાં પણ ભીમદેવનું છેલ્લું દાનપત્ર વિ. સં. ૧૨૯૬નું છે અને ત્યાર પછીના ત્રિભુવનપાલનું પહેલું વિ. સં. ૧૨૯૯ નું છે. ભીમદેવના રાજ્યના ઐતિહાસિક બનાવો સંબધી મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે માલવાના હડ એટલે કે સુભટવર્મને ગુજરાત ઉપર ચઢાઈનો પ્રયત્ન કર્યો હતો અને તેના દીકરા અર્જુનદેવે ગુજરાતનો નાશ કર્યો હતે. વ્યાઘપલ્લી અગર વાઘેલને લવણુપ્રસાદ જે રાણુ વીરધવલને બાપ હતું તે ભીમને રાજ્યચિન્તાકારી હતો. ત્યાર બાદ વાઘેલાના તેમ જ તેના જૈનમંત્રીઓના વર્ણનમાં ઉતરી જાય છે. તેની વિચારશ્રેણીમાં તેણે ભીમ ૧૨૩૫ માં ગાદીએ બેઠે એટલું જ લખ્યું છે અને પછી ગજજનક( મુસલમાન)નું રાજ્ય થયું. સેમેશ્વરે કીર્તિકૌમુદી સ. ૨ લૈ. ૫૯-૬૧ માં ભીમને તેથી પણ ખરાબ વણું છે, અને પછી મેરૂતુંગની માફક વાઘેલાનું વર્ણન શરૂ કરે છે.
ગ્રંથકારે આમ લખે છે છતાં ભીમદેવના લેખે તેને ક્ષુદ્ર રાજા તરીકે વર્ણવતા નથી. આપણું તામ્રપત્રોમાં તેને અભિનવ સિદ્ધરાજ નારાયણવતાર અને સપ્તમ ચક્રવર્તિન લખેલ છે. તે બિરૂદા તેનાં પિતાનાં જ તામ્રપત્રોમાં નહીં, પણ જયન્તસિંહના (નં. ૪) તેમ જ ત્રિભુવનપાલ(નં. ૧૦)ના લેખમાં પણ છે. લેખે ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે તેના તાબામાં સાબરમતીની ઉત્તર ગુજરાતને ઘણેખરે ભાગ જે મૂલરાજ ૧ લાના તાબામાં હતું તે હતો અને દક્ષિણ રજપૂતાનાના ચંદ્રાવતી અને આબુના રાજાએ તેની સત્તા કબુલ કરતા હતા. નં. ૬-૮-૯ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com