SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ચાપેાટ અથવા ચાવડા રાજાની મેહેન લીલાદેવીથી ઉત્પન્ન થયેા હતેા. મેરૂતુંગ લખે છે કે વિ. સં.૯૯૮ માં પોતાના બે ભાઈ સાથે રાજ સામનાથ પાટણની યાત્રાએથી વળતાં અણહિલવાડ પાટણ રાકાયા હતા અને ઘેાડેસ્વારની કવાયતની ટીકાથી તેમજ પેાતાની ઘેાડેસ્વાર તરીકેની હુશીયારીથી રાજાનું ધ્યાન ખેચ્યું. તેનું કુળ જાણ્યા ખાદ તેની સાથે લીલાદેવીને પરણાવી. તે પ્રસવસમયે ગુજરી ગઈ, પણ તેનુ પેટ ચીરી, મૂલરાજને જીવતા કાઢયા. મૂલરાજ( મૂળ નક્ષત્રમાં જન્મ્યા તેથી)ને તેના મામાએ ભાગ્યે ગણાવ્યા અને મેટા કર્યાં. દારૂના નશામાં તેને ઘણી વાર રાજગાદી આપવામાં આવતી, પણ નિશા ઉતર્યા બાદ પાછી લઈ લેવામાં આવતી. આથી કંટાળી મૂળરાજે તેનું ખૂન કરાવી ગાદી પડાવી લીધી. મ મી. ફાર્બસે આ વૃત્તાન્તને થાડી ઘણી અસંખË હકીકત કાઢી નાંખીને સ્વીકાર્યાં છે અને તેણે તથા મી. એલ્ફીન્સ્ટને માન્યું છે કે મૂલરાજનેા ખાપ કનેાજમાંથી નહીં, પણ દક્ષિણના ચૌલુકય વંશની રાજધાની કલ્યાણમાંથી આવેલા હતા. મેરૂતુંગ લખે છે કે સામંતસિંહે વિ. સ. ૯૯૧– થી ૯૯૮ સુધી રાજ કર્યું. તેમ જ રાજ અણુહિલવાડમાં પણ ૯૯૮ માં આગ્યે એમ લખેલ છે. આ બે બનાવ વચ્ચે એાછામાં ઓછું વીશ વર્ષનું અંતર હેાવું જોઇએ, તેથી આ વૃત્તાન્ત સર્વથા ત્યાજ્ય છે. ચાપેાકટ અને ચૌલુકય વંશને ખેડવાના હેતુથી ભાટચારણાએ આ બનાવ કલ્પી કાઢયા હવે જોઇએ. હ્રયાશ્રય કેશમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી, તેથી તેમ જ તામ્રપત્ર નં. ૧ માંની ઘેાડી હકીકત છે તેથી ઉપરની અટકળને ટેકા મળે છે. ફાર્બસે સુચવ્યું છે તે મુજબ હ્રયાશ્રય કાશ હેમચંદ્રની જ કૃતિ નથી. વિ. સ. ૧૩૧૨ માં અભયતિલકે તેમાં સુધારાવધારા કરેલ છે અને કેટલીક અસંબદ્ધ હકીકત ઉપરથી અટકળ થાય છે કે બાકીના ભાગ પણ માત્ર ૧૨ મી સદીના લેખકના રચેલા નથી. તે પણ એકંદરે તે મેરૂતુંગના ગ્રંથ કરતાં વધુ પ્રમાણભૂત છે. તેમાં મૂલરાજને માત્ર ચૌલુકય લખ્યા છે. અને તેની બહાદુરી અને શક્તિનાં વખાણ કરેલ છે. આપણા લેખમાં પણુ દાન દેનારની ઉત્પત્તિ સંબંધી ટુંકું વર્ણન છે. તેને સેાલંકી વંશમાં જન્મેલે અને મહારાજાધિરાજ રાજીનેા દીકરા લખ્યા છે. તેણે સારસ્વત મંડલ (સરસ્વતી નદીની આસપાસના મુલક ) પેાતાના ખાહુબળથી મેળવ્યું, મેરૂતુંગનું વર્ણીન સાચું હોય તે રજપૂતના રખડતા નાના છે.કરાને મહારાજાધિરાજ લખાય નહી. મૂલરાજના દાનપત્રની હકીકત ધ્યાનમાં લેતાં તેમ જ મૂલરાજને વંશના સ્થાપક વર્ણન્યે છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેના પૂર્વજો ચૌલુકયના અસલ દેશના રાજા હશે અને ત્યાંથી તેના દુશ્મનેાથી હાંકી કાઢવાથી અગર વધુ પ્રદેશ મેળવવાના લેાભથી ગુજરાતમાં તે આવ્યા હશે. તે અસલ પ્રદેશ કયા તે સવાલ વિચારવાના છે. ગુજરાતના ભાટા લખે છે કે વિ. સ. ૭પરમાં કનેાજમાં કલ્યાણુકટકના રાજા ભૂરાજ, ભૂયડ અગર ભૂવડ ( એટલે કે ભૂપતિ ) ગુજરાતમાં રાજ કરતા હતા અને જયશેખરના નાશ કર્યાં અને ત્યાર ખાદ કર્ણાદિત્ય, ચંદ્રાદિત્ય, સામાદિત્ય અને છેવટે જીવનાદિત્ય જે રાજીના ખાપ હતા તે કલ્યાણની ગાદીએ આવ્યેા. મી. ફાર્બસ સી. એલફીસ્ટન વિગેરેએ આ કલ્યાણુને દક્ષિણ ચૌલુકયાની રાજધાની કયાણુ માનેલ છે અને હું પણ અમુક વખત એમ માનતા. તેના આધારમાં નીચેની છીના આપી શકાય તેમ છેઃ (૧) દક્ષિણનું કલ્યાણુ આઠ સદી સુધી ચૌલુકયની રાજધાની હતી અને કનેાજમાં આવું ગામ મળી આવતું નથી. ( ૨ ) દક્ષિણના ચૌલુકયાના લેખામાં ગુજરાત જિત્યાનું લખે છે( ૩ ) ચૌલુકય રાજા વિજયરાજના શ. સ. ૩૯૪ ઈ. સ. ૪૭૨૭૩ ના તામ્રપત્રમાં લખ્યું છે કે તે ભરૂચના પ્રદેશના માલિક હતા. પરંતુ ખ મતનાં પ્રમાણુ વધુ સખળ છે: (૧) દક્ષિણના રાજાએ ચાલુક્ય, ચલુય, અલિય અગર ચક્ષ્ય લખે છે, જ્યારે ગુજરાતમાં ચૌલુકય લખે છે. પાટણ વંશના સ્થાપક દક્ષિ હ્યુમાંથી આવ્યા હાત તા પેાતાને ચૌલુકય લખત. (૨) દક્ષિણ ચૌલુકયાના કુલદેવતા વિષ્ણુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy