SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ध्रुषसेन १ लानां ताम्रपत्रो ભાષાન્તર (પંક્તિ-૧૧ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણું તરીકે છે. કેનેથી પ્રકટ થએલા પાલિતાણું પત્ર. નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના તરજુમા સાથે સરખા એ. ઈ વૉ. ૧૧, પાનું. ૧૦૮ ] (પંક્તિ ૧૨-૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થે અને આ લોકમાં તેમ જ પરલોકમાં ઈછિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણીમાં અક્ષસરકપ્રવેશ્યના જયેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૧૨૦ પાદાવર્ત, જેના ઉપભેગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી થનક ગેત્રને, છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત ) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપભોગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને આદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહે મંજૂર રાખેલ છે. (પંક્તિ ૧૭-૧૮ ) આથી બ્રાદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભેગ કરે, ખેતી કરે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કર નહિ. અને અમારા વંશના અને ભાવિ ભદ્ર નૃપેએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને ૯૫ પાપ સહિત દોષી થશે (પંક્તિ ૨૦-૨૨) આને માટે વ્યાસના બે શ્લોક છે [ અહીં ચાલુ ફ્લેકમાંના બે શ્લોક આવે છે ] (પંક્તિ રસ) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત્ ૨૦૭. વૈશાખ વદિ. ૫. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. ૧. ના સ્વહસ્ત છે. કિકકથી લખાયું. S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy