________________
૨૭
गुजरातना ऐतिहासिक लेख જેને રાજછત્ર, તેના પ્રબળ કરથી ધારણ થએલી અખિલ જગત પર છવાએલી, અને મજાર પર્વતના મંથનથી પદધિમાં ઉદ્ભવતા ફીણના પિણ્ડ સમાન સુંદર યશની છવથી ઢંકા હો;
આ પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય હતે.
તેને પુત્ર [ શીલાદિય હતે ]; જેનાં ચરણ કમળ તેના વિકમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી પિનાં મુગટનાં રત્નોમાંથી નીકળતાં કિરણેથી ભૂષિત હતા,
(આ ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે –
તમને સર્વેને અને પ્રત્યેકને જાહેર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લેક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વર્ધમાનભુકિત ત્યજી લિપ્તિખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામોદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગેત્રના,બવૃચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, કતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર, મંડળમાં દિનપત્ર સમીપમાં અન્તરપલિકા ગામ, ઉદ્વેગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સહિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિર્ણયના હક સહિત, સર્વ રાજપુરૂના હસ્તપ્રક્ષેપણમુક્ત, પૂર્વેનાં દેવે અને દ્વિજનાં દાન વર્જ કરી ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે પાણીના અર્થથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તરીકે, મેં આપ્યું છે.
આથી ધર્મદાય સ્થિતિ અનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષમી અસિથર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપને ] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કે – સગરથી માંડીને બહુ નૃપેએ ભૂમિને ઉપભેગ કર્યો છે જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ છે.
દારિદ્રયભયથી ભૂપેથી (ધર્મ) સ્થાન બનાવેલી લક્ષમી, જે નિર્માલ્ય [ દેવને અર્પલાં કુસુમ] સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે?
ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે.
આ દાન ને દતક શીલાદિત્ય છે. આ શ્રી બુદ્ધભાના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માઘ વો ૧૨. મારા સ્વહસ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com