________________
નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર
સં ૪૦૩ . સુ. ૧૩ કાઠિયાવાડમાં આસિસ્ટંટ પિલીટીકલ એજન્ટ કેપટન ફીલીપ્સ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલામાં છેલ્લાં છે. રાજાએ અનુક્રમે વર્ણવ્યા છે તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં પેલા મુજબ જ છે.
- ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે, (પ) ખરગ્રહ તે શીલાદિત્ય ધર્માદિત્યને દીકરે કહે છે, પણ બીજાં પતરાંઓમાં તેને અનુજ એટલે ના ભાઈ વર્ણવ્યું છે ( ૮ ) ધરસેન પછી ( ૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણ
ભાઈ તરીકે વર્ણવે છે અને ( ૫ ) પરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યો છે, તેથી “ અનુજ “ નાનો ભાઈ એ સાચા પાઠ છે.
(૬) ધરસેનને આમાં ધ્રુવસેન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજાં દાનપત્રથી સિદ્ધ થાય છે.
(૯) ડેરભટ્ટને બીજો દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે.
(૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તઓને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછીનાં બીજાં પતરાંઓમાંથી કદાચ તે સાધન મળે. એવો સંભવ છે.
(૧૫) શીલાદિત્ય (૫ મ) દાન આપનાર રાજા છે. સંવત ૪૦૩ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દામોદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતુર્વેદીને આપેલું છે. તે અવેદી ગાથે ગોત્રને હતો અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતું હતું. કાઢજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉઆસાની પાસે આવેલું છે.
કેપ્ટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગોંડળ રાજના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામડાંઓ છે, જેમાં શોધખેળ કરવા જેવું છે.
૧ જ. . . . એ. સ. ઈ. ૧૧ પા. ૩૩૫
. ર. સા. વિરવનાથ નારાયણ સંડલિક.
૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com