SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩પર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેનો ફેટેગ્રાફ ડૉ. બજેસે મને આપ્યું હતું, તે ૧૨ ઇંચ૮૧૩ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા ખોવાઈ ગઈ છે. પરંતુ આજ રસ લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જુદી છે. કારણ કે, લેખે માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરોની સાથે સાથે, ઈ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વપરાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપે તેમાં બતાવ્યાં છે. સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હોવાથી સંવત ૩પર ના ભાદ્રપદ સુદિ ૧નું આ દાનપત્ર વલભીના ઇતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરત નથી. આ દાનપત્રનો આશય ગાર્ચે ગેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણ કિકકક(કીકાભાઈ)ના પુત્ર મગે પદત્ત (3) ને બે ભૂમિખંડના ક્ષેત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતો હતો પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતા. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણ હતા તેને આ બીજે દાખલ છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. દૂત એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતો. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર સ્પષ્ટ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દત (સંદેશા લઈ જનાર )અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સૈપાયેલે માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી અંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં ખરગ્રહુ. ૨(બીજા)ની સેવા (નેકરી) કરેલી હતી. • ઈ. એ. વ. ૧૧ ૫, ૩૦૫ ડો. જી. મ્યુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy