SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૭૨ ધરસેન ૪ થાનાં તામ્રપા સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩ આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઇંચ×૧૧” નું છે. કડીએ તથા મુદ્રા ખાવાઈ ગયાં છે. તે શિવાય પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરા ઈ. એ. વા. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહુ ચેાખ્ખા અને છૂટા છૂટા છે. લખાણની ભૂલેા બહુ થાડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનના માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂક્તિ છે. આ ભૂલ બન્ને ઠેકાણે આવતા “ શતસહુએ ” શબ્દને લીધે થઈ છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓને મહાન્ રાજા, પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં એ દાનપત્રામાં સંવત્ ૩૨૬ અને ૩૨૮૧ છે. સંવત્ ૩૨૨ તથા સંવત્ ૩૨૮ નાં નુકસાન પામેલાં એ પતર્રાએ, એક વળામાં, તથા ખીજું હાલ ૉ. છેં. ર. એ. સા. ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણા દાનપત્રની તારીખ સંવત્ ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હેાવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત્ ૩૩૨ લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચાક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. "C " કાસર ગામમાં વસતા, આનતપુરના રહીશ ફ્રેશયમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ ગાત્રના ઋગ્વેદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “ બાનર્સ-વાતુર્ષિય ’ એટલે આનર્તપુરના એક ચતુર્વેદી ” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિને જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હતેા તે મતાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ખીજાં પતરાંઓ ઉપર ચતુર્વિધ શબ્દ પહેલાં તદ્દ લગાડેલ આપણે જોયા છે, એટલે તપન્નુર્વિઘર હોય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં સઘ લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસસ્થાનને સ ંખેાધન કર્યું છે, એમ દેખાય છે. દાનમાં ખેટક જીલ્લામાં સિંહપલ્લિકા તાલુકામાં આવેલું દેસુરક્ષિતિજ નામનું ગામ આપેલું છે. દાનના હેતુ હમ્મેશ મુજબના છે. વર્ણવેલા એ અધિકારીઓમાં, દૂતક રાજપુત્રી ભૂપા, અને દિવાન તથા મુખ્ય મંત્રિ સ્કંદભટ છે. અધિકારીના દરજ્જામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પેાતાની ફરજ કાઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તા જ આ સમજાય તેમ છે. ૩ આહિ લખેલા સ્કંદભટ મેં પ્રથમ અનુમાન કર્યું હતું તેમ હુસેન અને ધરસેન ૨ જાને મત્રિ સ્કંદભટ નથી, આ એ જુદી વ્યક્તિઓ છે તેની સાખિતીનું કારણ, એક તા એ છે કે, સંવત્ ૧૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભાગવી શકે એ અસંભવિત છે; ખીજું, શીલાદિત્ય ૧ લાએ સ્કંદભટના પિતા ચદ્રટ્ટિને સંવત ૨૮૬માં પોતાના દિવાન તરીકે રાખ્યા હતા. * ઈ. એ. વા. ૭ પા. ૭૩ જી. બ્યુહુર. ૧ તરીકે ઈ. એ. વા. ૫ પા. ૨૦૯ વા. ૬ પા. ૧૭ .૧૧ પા. ૩૧ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જુઆ ઈ. એ. વે. ૧ પા. ૧૫ અને ૪૫ ૨ સરખાવા-દાખલા ૩ ઈ. એ. વા. ૪ પા. ૧૭૩ ૪ જ. મા. પ્રા. રા. એ. સે. www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy