SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૭૦ ધરસેન ૪ થાના દાનપત્રનું બીજું પતરું સંવત્ ૩૨૬ માઘ વદ ૫ ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રોના બીજા અર્ધભાગ અનુવાદ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું મા૫ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જો કે જમણી બાજુને ખુણે ફક્ત ખંડિત થયે છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નુકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય ૧ લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે. આ પતરાને દાતા, ઈ. એ. વ. ૧ ના પા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થો છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩ર૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓને અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાઓનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રાના એવા જ ભાગેની સાથે મળતું આવે છે. આ પતરું અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરું બને છે કે ખંડિત અને શબ્દલેપવાળાં છે, છતાં ઘણું જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બન્ને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે. આ પતરામાં મંત્રી શ્કજભટથી બંધાવેલ એક વિહારને યોધાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે કદભટ એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાએ બ્રાહ્મણની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મને પ્રચાર વલભી રાજાઓના રાજ્યમાં હતો તેમ જ મૂર્તિપૂજા પણ ધર્મનું એક અંગ હતી. ૧ ઈ. એ. વ. ૧ પા. ૪૫ -ભાંડારકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy