SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા સવત ૨૮૬ જ્યેષ્ઠ વૃદ્ધિ ૬ કાઠિયાવાડમાં ગેાહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા-પ્રાચીન વલભી–માંથી મળેલાં કાઇ તામ્રપત્રા ઉપરના આ લેખ છે. આ પતરાં હાલ એ. બ્રે. એક્ સ. એ. સા, ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાંએની સંખ્યા એ છે, અને દરેકનું માપ આશરે ૧૧૧” ” છે. લખાણના રક્ષણ માટે કાંઠાએ જાડા વાળેલા છે. લેખને કાને લીધે ઘણું નુકશાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નમુના ઉપરથી લખેલાં બીજાં દાનેાની મદદથી, તે લગભગ આખા વાંચી શકાય છે. પહેલા પતરાને નીચે તથા બીજાને મથાળેથી થેાડું ત્રાંબુ કપાઈ ગયું હાવાથી ઘેાડી હકીકત તદ્ન નાશ પામી છે. પતરાંઓમાં એ કડીએ માટે કાણાં છે. પરંતુ તે કડીએ તથા મુદ્રા મળી આવતાં નથી. બન્ને પતરાંઓનું વજન ૨ પૌંડ ૧૦ ઔંસ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ એનરેખલ, વિ. એન, મંડલિકે જ, મે, બ્રે. એક્ એ. સે. વેા. ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યાં હતા. લેખ શિલાદિત્ય ૧ લાના સમયના છે. અને તારીખ આંકડામેાથી, સંવત્ ૨૮૬ ના જ્યેષ્ઠ વદ ૬ આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી, આ જર્નલમાં વેલ્યુમ ૯ પા. ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને ખરાખર મળતી આવે છે. હમ્મેશ મુજખ વંશાવળી ભટ્ટાહુથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામેા ખાદ કરતાં તેના પછીનેા સીધે વંશજ ગુહુસેન હતા. તેના પુત્ર ધરસેન ર ો, અને તેના પુત્ર શીલાદિત્ય ૧ હતેા, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યું હતું, અને તેણે વલભીમાંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં બીજાં દાનપત્રામાં ખતાવેલી રાજવંશી શ્રી દુઠ્ઠાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મને આ દાન આપ્યું છે. અને દાનના હેતુ પણ હમ્મેશ મુજબને, એટલે, ધાર્મિક પૂજા, મઠમાં રહેનારાઓનું પાષણ, તથા મઠના સમારકામ વિગેરેના ખર્ચ કરવાના છે. દાનની વસ્તુઓ નીચે મુજબ છેઃ—પદ્મરકૂપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યકની માલિકીનું એક ક્ષેત્ર, અને એક (?)ની માલિકીનું ઉચ્ચાપમાંનું ક્ષેત્ર, અફ્રિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કક્કિજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાØિપકમાં .....ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુષ્પક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકામેા તથા કૂવા છે. દાનમાં લખેલા અધિકારીખેમાં, દૂતક ભટ્ટાહિત્યયશસ, જે પ્રથમ વેા. ૧ પા. ૪૬ ૫. ૧૫ માં પણ મતાવેલ છે, તે અને સંધિવિગ્રહાધિકૃત તથા દ્વિનિપતિ વત્રાટ્ટિ છે. આ પાછળના અધિકારીનું નામ ઘણાં દાનપત્રામાં આવે છે, અને જૂદી જૂદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વે. ૧૪ પા. ૩૨૭ પ્રા. એફ. કિલ્હાર્ન ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy