SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. દુનિયાને સિંધી પ્રાચિન ધર્મ. પરિવ્રાજકની ઉત્પત્તિ ? – સી – કપિલ, સાંખ્ય, વગેરે મતે. મીની સાથે જ સમયે લુહારએ માથાના જ સૂર્યના તે ભારત રાજાના પાંચસો પુએ દિક્ષા લીધી હતી, તે વિષે અમે અગાડી જણાવી ગયા છીએ. એ પાંચ પુત્રોમાં એક પુત્ર નામે મરીચિ હતો. તે એકાદશ અંગને ભણનારે, સાધુ ગુણ સહિત, અને સ્વભાવથી સુકુમાર છતાં, એક વખતે ગ્રીષ્મ રૂતુમાં રૂષભદેવ સ્વામીની સાથે વિહાર કરતો હતો. તે દિવસે મધ્યાન્હ સમયે લુહારાએ ધમેલી હોય તેમ, ચેતર૪ માર્ગની રજ સૂર્યના કિરણથી તપી ગઈ હતી. તે સમયે તેને દેહ માથાથી તે પગ સુધી પરશેવાની ધારાથી ભરપૂર થઈ ગયું. આ વખતે દુષ્કર્મના અંગે, મરીચિને ખરાબ વિચારે ઉત્પન્ન થયા. તે બોલ્યા “ત્રણ જગતના ગુરૂ રૂષભદેવસ્વામીને હું પિત્ર છતાં, અને મહા બળવાન ચક્રવતી ભરતરાજાને હું પુત્ર છતાં, અને પંચ મહાવ્રતના ઉચ્ચારણ પૂર્વક મેં દિક્ષા લીધા છતાં, મને ખરાબ વિચારો કેમ ઉત્પન્ન થાય છે ? ખરૂ છે કે ચારિત્ર લીધા પછી દુનિયાની મોજ મજા અને સુખ ભોગવવાનું મને નથી મળતું, અને ઉનાળાના આવા અસાહ્ય તાપમાં અને શિયાળાની અસહ્ય ઠંડીમાં ભારે વિહાર કરવો પડે છે, એ દુઃખ મારાથી નથી ખમાતું, અને તેમાંથી નીકળવાને મને કાંઈ પણ રસ્તો સુઝતો નથી ! મારાથી ચારિત્ર વ્રત પળવું મુશ્કેલ છે, અને તે છેડીને ઘેર જતાં મારા કુળને કલંક લાગશે ! ત્યારે મારે શું કરવું ? હા ! મને એક રસ્તો સુઝે છે અને તે એ છે કે, સાધુએ મનદંડ, વચનદંડ, અને કાયદંડથી રહિત છે, અને હું તે એ ત્રણે દંડ સંયુક્ત છું, માટે હું એક ત્રિદંડ રાખીશ અને ત્રીદડી થઈશ. સાધુઓ તો દ્રવ્ય અને ભાવથી મુંડિત છે, તેથી લોચ કર છે, અને હું તે કવ્ય મંડિત છું, તેથી અસ્ત્રાથી મસ્તક મુંડાવીશ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy