SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો-પ્રકરણ ૩. પ્રભુની તે આજ્ઞા મસ્તકે ચઢાવી, બ્રાહ્મી અને સુંદરી, બાહુબળીને ઉપદેશ કરવા નીકળ્યાં અને મહામહેનતે તેમને શોધી કહાડી કહ્યું “હે. જયેષ્ઠ ભ્રાતા ! ભગવાન એવા પિતાજી અમારે મુખે તમને કહેવડાવે છે કે હાથીની સૂંઢ ઉપર આરૂઢ થયેલા પુરૂષને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આટલું કહીને બ્રાહી અને સુંદરી તે ચાલી ગયાં, પણ બાહુબળીને વિચાર આવતાં જ તેમને સમજ પડીકે વતથી મેટા અને વયથી નાના મારા ભાઈઓને નમસ્કાર કેમ કરે, એવું જે મને માન થયું છે, તે રૂપી હાથી ઉપર હ નિર્ભયપણે આરૂઢ થયો, અને તે કારણે ત્રણ જગતના સ્વામીની ઘણે કાળ સેવા કર્યા છતાં પણ મને વિવેક નહીં થવાથી એ શ્રાતાઓને વદવાની મને ઈચ્છા થઈ નહીં પણ ઉલટી માનદશા થઈ હતીતે ટાળવાને માટે જ આ ઉપદેશ કરનારાઓને મારા પિતાજીએ મકલ્યાં હોવાં જોઈએ.” એવો વિચાર થતાંજ માનને ત્યાગ કરી, પૂર્વે તને પ્રાપ્ત થયેલા પોતાના મહાત્મા બ્રાતાઓને વંદવા માટે બાહુબળી મુનીએ પોતાને ચરણ ઉપાડે; અને તે જ વખતે તેમનાંધાતી કર્મ ત્રુટી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા તે મહાત્મા, ચંદ્ર જેમ સુ વૈની પાસે જાય તેમ, રૂષભસ્વામીની પાસે ગયા, અને તીર્થંકરની પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી, આદીશ્વર ભગવાનની પર્વદામાં જઈ બીરાજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy