________________
દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ
૨૦
( ૪) જો કોઈ એમ કહેશે કે અડધે અડધા પાપ પુન્યવાળા જીવ ઈશ્વરે પેદા કર્યા છે તે પ્રત્યક્ષ પ્રમાણથી ખોટું પડે છે.
( ૫ ) તથા (6) પ્રશ્નોના ઉત્તર ચોથા પ્રશ્ન જેવાજ છે. આ છે બાબત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઈશ્વરે કે કોઈ બીજાએ જગત પેદા કર્યું નથી, અને જો એ સિદ્ધ થયું તે આ વિશ્વ અનાદિ છે એ પણ સિદ્ધ થાય છે.
વળી કોઈ એમ કહેશે કે પૃથ્વીના જુદા જુદા પદાર્થોની જુદી જુદી શક્તિએજ ઈશ્વર છે, પણ એમ નથી. સર્વ પદાર્થો છે, અને તેથી તેઓ પોત પોતાનું કામ કરે છે. પદાર્થોના સંગમાં નીચેનાં નિમિત છે –
૧ કાળ, ૨ સ્વભાવ. ૩ ભવિતવ્યતા. ૪ જીવનાં કર્મ.
૫ જીવના ઉધમ પ્રત્યક્ષ રીતે પણ એજ રીતે છે. ઉપર જણાવેલાં પાંચ નિમિત વગર કાંઈ પણ ઉત્પન્ન થતું નથી. એ જ પાંચ વસ્તુ અનાદિ છે, કેમે રચેલ નથી, કારણ કે વસ્તુના જે જે સ્વભાવ છે તે સર્વે અનાદિથી છે. જે વસ્તુમાં પોતાને સ્વભાવ નહિ હોય તો કોઈ પણ વસ્તુ સતરૂપે રહેજ નહીં, અને સર્વ સશશૃંગવૃત અસત થઈ જશે. વળી પૃથ્વી, આકાશ, સૂર્ય, ગૃહ, તારા વગેરે એજ રીતે અનાદિ રૂપે સિદ્ધ છે. જગતના જે જે નિયમ છે, તે સર્વ આ નિમિતેથી જ થાય છે. વળી, સૂર્યના કિરણો વાદળાંમાં પડવાથી ઇદ્રધનુષ્ય બને છે. સૂર્ય ચંદ્રની આસપાસ કુંડાળાં થાય છે; આકાશમાં પવનના મેળાપથી જળ તથા અગ્નિ ઉત્પન્ન થાય છે, વરસાદથી ઘાસ તથા અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે, તેમાં તથા બીજા દરેક કાર્યમાં આ પાંચે નિમિત્ત જણાય છે. અને તેથી આ પાંચ નિમિત અનાદિ હાવાંજ જોઈએ, અને તેથી પૃથ્વી પણ અનાદિ સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com