SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ખંડ બીજો-પ્રકરણ ૨ જું. વિરૂદ્ધ પડી શકે એમ નથી, કેમકે તે તે આપણે જોઈ શકીએ કે ઈશ્વરે આ કર્યું, તે કર્યું, અને હજી બીજું કરે છે. પણ તે નજરે પડતું નથી, અને વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરને જાણ નાર કોઈ છે નહીં. अपाणिपादो जवनो ग्रहिता, पश्यत्यचक्षुस्सशृणोत्यकर्णः ॥ सवेति विश्वं न च तस्यास्ति वेत्ता, तमाहुरग्यं पुरुषं पुराणम् || (૪) અનુમાન પ્રમાણથી ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. કઈ એમ કહે છે કે કર્તા વિના કોઈ પણ ચીજ બની શકતી નથી, તો આવું મોટું જગત કોઈ બનાવનાર વગર કેમ બની શકે ? જો આ અનુમાન ખરૂં માનીએ તો એમ સવાલ ઉઠશે કે, તે જીવો પેદા થયા ત્યારે સારા હતા કે ભુંડા ? આ માટે વખતે એમ કહેવામાં આવશે, કે તેઓ તે સારાજ હતા ! ત્યારે એ સવાલ ઉઠશે કે ભુંડા છ કેમ નજરે પડે છે ? કેમકે સારા છમાંથી ખરાબ કામ કરવાની શક્તિ કેમ ઉત્પન્ન થઈ શકે ? આ ઉપરથી ઈશ્વરે કાંઈ પેદા કર્યું નથી એમ દેખાય છે. જે એમ કહેવામાં આવે, કે ઈશ્વરે સારાં અથવા ભૂંડાં કામ કરવાની શકિત રચી હતી, પણ ઈશ્વરે જીવોને ભુંડાં કામ કરવા તરફ પ્રવર્તાવ્યા નથી, અને ભંડાં કામ કરવામાં જીવ પોતે જ પ્રવર્તે છે, અને તેમાં ઈશ્વરને દેશ નથી, તો એ સવાલો ઉત્પન્ન થાય છે કે (૧) સર્વ શકિતમાન ઈશ્વર, સર્વ વાતના જાણું છતાં એવી શકિતઓ કેમ પેદા કરે ? જે જાણતા છતાં ઈશ્વર એવી શકિતઓ પેદા કરે, તે ઈશ્વર માણસના શત્રુ૫ ગણાય ! (૨) જે ઈશ્વર તે વાત જાણતા નહેતા એમ કહેવામાં આવે, તે ઈશ્વર સર્વ નહિ પણ અસર્વે કહેવાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy