________________
૧૦.
ધર્મતત્ત્વ
શ્રીશંકરાચાર્યે લખ્યું છે કે –“ હું ફ્લેશ્વર “મૃત્ય રોયનાથ
દ્વાઅર્થાત્ કર્તા એટલે ઈશ્વરની ખાતર તેના કરતરીકે આ કામ કરું છે, એવી બુદ્ધિપૂર્વક જે કર્મ થાય તેજ કર્મ કૃષ્ણને અર્પણ થયેલું ગણાય.
આટલા વિસ્તાર પછી કર્મયોગનું રહસ્ય તું સમજી શકયો હોઈશ, એમ હું ધારું છું. તે પણ સારાંશરૂપે એકવાર પુનઃ કહી જઈશ. પ્રથમ વાત તે એજ કે કર્મ કર્યા વિના કેઈથી રહી શકાય તેમજ નથી, પરંતુ કર્મ શબ્દથી અનુષ્ક્રય કર્મ જ સમજવાં જોઈએ. જે કર્મ ઈશ્વરદિષ્ટ ( ઈશ્વરાપણ બુદ્ધિયુકત ) કિંવા ઈશ્વરાભિપ્રેત ( ઈશ્વરે ઉપદેશેલાં ) હોય તેજ કર્મ અનુદ્ધેય અથવા કર્તવ્ય લેખાય. તે કર્મ પણ આસકિતરહિતપણે કરવાં જોઈએ તેની સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખવી જોઈએ અને તે કર્મો ઈશ્વરને અર્પણ કરવા જોઈએ; અર્થાત મારા સ્વામીની વતી એક કરતરીકે હું આ કામ કરું છું એવી બુદ્ધિથી કર્મ કરવાં જોઈએ. જ્યારે આ પ્રમાણે કર્તવ્ય-કર્મો થવા લાગે ત્યારે કર્મયોગ સિદ્ધ થયો, એમ સમજી લેવું.
જ્યારે ઈશ્વરાર્થે કર્મો કરવા લાગીએ ત્યારે આપણે આપણું શારીરિક વૃત્તિ એને પણ ઇશ્વર પ્રત્યે વાળવી જોઈએ, એ સ્વાભાવિક છે, અને તેથી આ પ્રમણેનો કર્મોગ તે પ્રકારતરે ભકિતયોગજ બની રહે છે, એમ કહીએ તે અત્યુતિ નથી. કર્મની સાથે ભકિતને કેટલું ઐકય છે તે વિચાર કરવાથી બહુજ સ્પષ્ટ થવા રોગ્ય છે. આ અપૂર્વ ધર્મ, આવું અપૂર્વ ઐક્ય કેવળ ગીતામાંજ દષ્ટિગોચર થાય છે. આવી અદ્દભુત ધર્મવ્યાખ્યા કઈ પણ દેશમાં કઈ કાળે, કઇએ કરી હોય એમ મારા જાણવામાં નથી. ગીતક્ત ધર્મની વ્યાખ્યા હજી પૂર્ણ થઈ નથી, કારણ કે કર્મયોગમજ ધર્મની સમાપ્તિ નથી. કર્મ એ તે ધર્મનું પ્રથમ પગથિયું છે. આવતી કાલે હું તને જ્ઞાનયોગનું રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કરીશ.
अध्याय १५ मो-भगवद्गीतानुं ज्ञान
ગુ–હવે જ્ઞાન સંબંધી ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશનો સારાંશ કહું તે શ્રવણું કરે. કર્મને વિષય સંપૂર્ણ કરી, ચતુર્થ અધ્યાયમાં પિતાના અવતારવિષયક કથન સમયે તેઓ કહે છે કે:
वीतरागभयक्रोधः मन्मया मामुपाश्रिताः। बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com