________________
અધ્યાય ૧૪ -ભગવદગીતા કર્મયોગ
માફક હું ભાણું ચાટવા બેઠો છું અથવા તે વીલીયમ ધી સાઈલેંટની માફક દેશને ઉદ્ધાર કરવા બેઠો છું. આ બન્ને ક્રિયાઓમાં ફળની આકાંક્ષા રહે તે સ્વાભાવિક જ છે.
ગુર–જે જે કર્મ આપણે માટે કર્તવ્યરૂપ હોય તે તે કર્મ, કર્તવ્યપાલન કરવાની બુદ્ધિથી જ થવું જોઈએ. આહાર તેમજ દેશદ્વાર એ તમારા કર્તવ્યધર્મ છે. એટલા માટે તે ધર્મનું તમારે પાલન કરવું જ જોઈએ. ચોરી એ કાંઈ કર્તવ્ય ધર્મ નથી.
શિષ્ય–તે પછી કહ્યું કર્મ કર્તવ્ય છે અને કહ્યું નહિ, તે કેવી રીતે જાણું શકાય ? જ્યાં સુધી એ વાતનું જ્ઞાન ન થાય ત્યાંસુધી નિષ્કામ ધર્મનું મૂળજ ન સમજાય. | ગુસ-એ અપૂર્વ ધર્મપ્રણેતાએ કોઈ વાત બાકી રાખી નથી, અનુષ્ક્રય કર્મના સંબંધમાં તેણે કહ્યું છે કે
यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थ कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥ આ સ્થળે યજ્ઞ શબ્દથી ઈશ્વરનું સૂચન થાય છે. મારી વાત ઉપર તને વિશ્વાસ ન બેસતા હોય તો શંકરાચાર્યના પિતાનાજ શબ્દ શું કહે છે તે લક્ષમાં લે. ઉક્ત શ્લોકના ભાગ્યમાં તેઓ કહે છે કે –“ચશો જૈ જિજિરિ એસ ફ્રેશ્વરતથ” ” - હવે ઉક્ત કને નિઃસંશય એવો અર્થ થઈ શકે કે –“ ઇશ્વરાર્થો અથવા ઈશ્વરને ઉદ્દેશીને જે કર્મ–તે કર્મ સિવાયનાં સમસ્ત કર્મોને બંધનમાત્રજ સમજવાં–અર્થાત્ બાકીનાં કર્મો અનુષ્કય ( કરવા યોગ્ય ) નથી.” સારાંશ એજ છે કે આપણે કેવળ ઈશ્વરને જ ઉદ્દેશીને કર્મો કરવાં જોઈએ. આમ કરવાનું પરિણામ શું આવે તેની કાંઈ કલ્પના તું કરી શકે છે ? એથી કરીને તે સઘળી વૃત્તિઓને ઈશ્વરાભિમુખી થયા વિના ચાલેજ નહિ, કારણ કે જે વૃત્તિઓ ઇશ્વરમુખી ન થાય તે ઈશ્વરદ્દિષ્ટ કર્મજ ન થઈ શકે. આ નિષ્કામ ધર્મને ભક્તિ કહેવામાં કોઈ જાતની હરકત નથી, કારણ કે ભકિત એ નિષ્કામ ધર્મનું નામાંતર માત્ર છે. આ રીતે આપણે ભકિત અને કર્મ વચ્ચેનું સામંજસ્ય તપાસી ગયા. કર્મની સાથે ભક્તિને જે શક્ય છે તે અન્ય સ્થાને એથી પણ વિશેષ સ્પષ્ટ છે-અપિ સનિ લેખિ संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्ममो भूत्वा युद्धप्यस्व विगतज्वरः ॥ અર્થાત વિવેકબુદ્ધિથી સકળ કર્મો મને અર્પણ કર અને નિષ્કામ તેમજ મમતા તથા વિકારશૂન્ય બની યુદ્ધ કરવાને તૈયાર થા. શિષ્ય:–ઈશ્વરને કેવી રીતે કર્મો અર્પણ થઈ શકે ?
ગુર:-“ચામિત” એ વાક્યની સાથે “સંખ્યા ” શબ્દનો અર્થ સમજી લેવું જોઈએ. “શાણપતરા” શબ્દની વ્યાખ્યા કરતા ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com