________________
પ્રકરણ ૧૨ મું ]
છે. શિવાજી ચરિત્ર
૬૨૯
એકખીજાનાં ગળાં કાપે ત્યારે અકબર જેવા મુસલમાન રાજા જાહેર સલામતીના કામને છેડી દઈ નાસ્તિકાની સખ્યા ઓછી કરી નાંખવા માટે તેમને અંદર અંદર લડવામાં મદદ કરે.
નમુસ્લીમાની રાજકીય અશક્તિ : મુસલમાન સિવાયના ક્રાઈ પણ માણસ તેથી નાગરિક તરીકે જીવી શકતા નથી. એ દલિતવર્ગ જ ગણાય છે. એની સ્થિતિ ગુલામ જેવી હાય છે. રાજ્ય સાથે અમુક શરતાથી તે જીવી શકે છે. મુસલમાન ધર્માંશાસકે એના જીવન તથા માલમિલ્કતના નાશ નથી કર્યો તે માટે તેને કેટલીક રાજકીય અને સામાજિક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જઝિયાવેરા આપવા પડે છે. ટુકમાં એને દેશ મુસલમાનેાએ જીતી લીધા પછી રાજ્યમાં એનું અસ્તિત્વ, એનાં જીવન અને સંપત્તિ ઈસ્લામના કાર્યો માટે અણુ કર્યા પછી જ ટકી શકે છે. મુસલમાનને ન ભરવા પડતા જમીનવેરા બિનમુસ્લીમે ભરવા જ રહ્યો. કર આપવાને બદલે પોતાની ઈચ્છા લશ્કરમાં જોડાવાની ડૅાય તા પણ તેમ ન કરતાં લશ્કરના નિભાવ માટે એણે ફરજિયાત કર આપવા જ જોઇ એ. પોષાક તથા આચરણમાં નમ્રતા ખતાવી પોતે તાબેદાર વર્ગના છે એમ વવું જોઈ એ. કોઈ પણ ખીનમુસલમાનથી સારાં વસ્ત્રો પહેરી શકાય નહિ, ઘેાડેસવારી થાય નહિ અને હથિયાર ધારણ કરી શકાય નહિ. રાજ્ય કરતી પ્રજાના એકેએક માણુસ તરફ માન અને નમ્રતાથી વવું જોઈ એ.
ધાર્મિ`ક પ્રથાના ઉપદેશ પ્રમાણે વિદ્વાન કાજી મુઘીસઉદ્દીન અલ્લાઉદ્દીન ખીલજીને જણાવે છે : કાયદામાં હિંદુઓને ખરાઝઝુઝાર એટલે વેરા ભરનાર ગણાવ્યા છે. મહેસૂલી અમલદાર એમની પાસે રૂપિયા માગે ત્યારે તેમણે કંઈ પણ પૂછ્યાગાછ્યા વગર સંપૂર્ણ નમ્રતા અને માનથી સેાનામહારા આપવી જોઈએ. એ અમલદાર જો એમનામાંમાં ધૂળ નાંખે તેા જરા પણુ આનાકાની વગર એ ઝીલી લેવા માટે તેમણે પાતાનાં માં પહેાળાં કરવાં જોઈએ. આ અપમાનજનક કામદ્ગારા ખનમુસલમાનને ઈસ્લામ પ્રત્યે આજ્ઞાંકિતતા બતાવવાની હાય છે અને એ રીતે ઈસ્લામના માબા વધે છે તથા ખીજા ધર્મોનું માનભંગ થાય છે. આપણે હાથે તેમને અપમાનિત કરવાની આજ્ઞા ઈશ્વરે પાતે કરેલી છે અને...પયગંબરે તેમની કતલ કરવાની, લૂંટવાની અને કેદ કરવાની આજ્ઞા કરેલી છે... જેના ધર્મને આપણે અનુસરીએ છીએ તે ઈમામે જ હિંદુ ઉપર જઝયાવેશ નાંખવાનું રમાન કરેલું છે, બધા જ ધર્મગુરુએએ હિંદુઓ માટે તે ‘ઈસ્લામ અગર મૃત્યુ ' ના નિયમ બતાવ્યેા છે ” ( ઝિયખરાની. ર૯૦).
t
કાશને ન્યાયમ ંદિરમાં બહુ એછા હક્કો મળે છે. ફેાજદારી કાયદાનું રક્ષણ ઓછું મળે છે. લગ્ન સબધી કાયદાએ પણ એમને માટે જુદી જ જાતના હોય છે. રાજ્ય એને અમુક શરતાથી જિંદગી અને માલમિલકત માટે રક્ષણ આપે છે અને અમુક મર્યાદામાં રહીને એના ધર્મની રક્ષા કરે છે. એમનાથી નવાં મંદિર બાંધી શકાતાં નથી કે ધર્મના કાર્ય માટે છૂટથી જાહેરાત થઈ શકતી નથી. ખુલ્લેખુલ્લી કતલ ન કરતાં રક્ષણુના કરારને ભંગ ન થાય એવું બધું પરધર્મીઓની સંખ્યા ઓછી કરવા માટે કાયદાના આધારે થાય છે.
મુસ્લીમ વિજયનાં અપરિહાય પરિણામે ઃ ધમે રાજકીય ડહાપણુ પર કેવી રીતે સત્તા જમાવી હતી એના દાખલા પૃથ્વી પરની મુસ્લીમ સત્તાના ઇતિહાસ આપણને આપે છે. શરૂઆતના આરબ વિજેતાઓ ખાસ કરીને સિધમાં બીનમુસ્લીમાના મંદિરને અને ધર્મક્રિયાને જરા પણ નુકસાન ન પહોંચાડવાની ડાહી અને લાભદાયી નિતિને અનુસર્યા છે. શહેરને જીત્યા પછી તેના રહેવાસીઓને ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાવવામાં આવતા. જો તે કબૂલ થતા તા વિજેતાના જેટલા હક્ક તેમને આપવામાં આવતા અને તેમ નહિ કરતા તેા જિયાવેરા આપી તેઓ પેાતાનાં ધાર્મિક કાર્યો કરવાના હક્ક મેળવી શક્તા. છતાયેલા શહેરામાં તેના સૌથી મોટા દેવળને તોડી નાંખી તેની જગાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com