________________
છે શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ નું બાપ બેટીને મેળાપ પુત્ર શંભાજી અને પત્ની જીજાબાઈને સાથે લઈને સિંહાજી મહુલીના કિલ્લામાંથી બહાર નીકળી બિજાપુર તરફ ચાલ્યો. આ ત્રણે જણ સાથેના સભ્ય સહિત જુન્નર, પારનેર, કરકંબ, મંગળવેઢ વગેરે ઉપર થઈને મહુલીથી બિજાપુર જવાના હતા. સિહાજી, શંભાજી, અને જીજાબાઈ એ ત્રણે જણ બહુ પાણીદાર ઘોડા ઉપર બેઠાં હતાં. સિહાજી સાથે આ સવારીમાં પિતાના વિશ્વાસુ સરદારો અને ચુનંદા
દ્ધાઓ પણ હતા. બધાએ પિતાના ઘડા પૂરપાટ ચલાવ્યા હતા. થોડી મજલ કાપ્યા પછી ગર્ભવતી જીજાબાઈને પેટમાં ભારે દર્દ થવા લાગ્યું. હવે આવા સંજોગોમાં અને આવી સ્થિતિમાં જીજાબાઈને માં લઈ જવી એ ચિંતામાં સિંહાજી પડ્યા. આ મુસીબતમાંથી શી રીતે પાર પડવું, શે રસ્તો કાઢ એ સંબંધમાં સિહાજી પોતાના માણસે જે વિચાર કરી રહ્યા હતા એટલામાં જ સિહાજીને સમાચાર મળ્યા કે જાધવરાવ લશ્કર સાથે હલ્લે કરવા તદ્દન નજીક આવી પહોંચ્યા છે. સિંહાજીની મગજશક્તિ બહુ જબરી હતી. વિકટ સ્થિતિને ખ્યાલ તરત જ મગજમાં લાવી બધી બાબતોનો વિચાર કરી બહુ જલદીથી એ નિર્ણય ઉપર આવી શક્તા. સસરા જાધવરાવ લશ્કર સાથે લગભગ આવી પહોંચ્યાના સમાચાર સાંભળીને શું કરવું તેને નિર્ણય સિંહાજીએ તરત જ કરી નાંખે. અડચણ આવી પડે, અને ગુંચવણ ઊભી થાય એવે અણીને પ્રસંગે પલકવારમાં તેને વિચાર કરી નિર્ણય ઉપર આવી જવું એ ગુણ ચેડા યોદ્ધાઓમાં હેય છે. સિહાજીમાં આ ગુણ હતો અને તે એને ઘણી વખત કામ લાગે છે.
સાથે ગર્ભવતી સ્ત્રી છે, ૮ માસ પૂરા થઈ ગયા છે, ઘોડા ઉપરની મુસાફરી છે, દૂર મજલ જવાનું છે, સ્ત્રીના પેટમાં ભારે દરદ ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં શું કરવું તેનો વિચાર થઈ રહ્યો છે, એ વખતે સમાચાર આવે છે કે દુશ્મને પકડવા માટે તદ્દન નજદીક આવી પહોંચ્યા છે. આવી સ્થિતિ હોય ત્યારે માણસ કેવા ગૂંચવાડામાં પડી જાય છે, એની કલ્પના વાચકે કરી લેશે. હવે શું કરવું તેને નિર્ણય, સ્થિતિ અને સંજોગોને ખ્યાલ કરી પલકવારમાં સિહાજીએ કરી લીધે. થોડા વિશ્વાસુ માણસે અને લશ્કરની એક ટુકડી જીજાબાઈના રક્ષણ માટે ત્યાં મૂકી અને તે લશ્કર સાથે આગળ કુચ કરી. જીજાબાઈ વગેરે બધા વ્યાં. તેની નજીકમાં જ સિહાજીનો શિવનેરી કિલ્લે હતા. સિંહાએ વિચાર કરી લીધું કે પાછળથી આવનાર દુશ્મન એને પિતાનો સસરે છે અને એના હાથમાં છે સિહાજી આવે તે એને એ પૂરી કરે એવા હતા. પણ પિતાની દીકરી જો હાથમાં સપડાઈ જાય, તો એને એ કઈ જાતની હેરાનગતિ નહિ કરે એની એને ચોક્કસ ખાત્રી હતી. આ બધે વિચાર કરી પિતાના લશ્કર સાથે જોડે મારી મૂક્યો. સિંહાજી લશ્કર સાથે વીજળી વેગે આગળ વધતો જ હતા. સિહાજીને ખાત્રી હતી કે જીજાબાઈ જ્યાં થોભી હતી ત્યાં પણ એ પૂરેપુરી સલામત હતી. સિંહાજીના ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં જાધવરાવ પિતાના માણસે સાથે ત્યાં પહો. જમાઈ સિંહાજીને પકડવાની ભારે ઉલટથી જાધવરાવ ત્યાં આવી પહોંચ્યો હતો, પણ આવીને સાંભળ્યું કે સિંહાજી અત્રેથી લશ્કર સાથે આગળ ચાલી ગયો, પણ તેની પત્ની એટલે જાધવરાવની દીકરી જીજાબાઈ ભારે પેટે હાઈ પેટના દરદને લીધે અત્રે રોકાઈ છે. આ સાંભળી જાધવરાવ ભારે વિચારમાં પડ્યો. દીકરી અહીં અડચણમાં આવી પડી છે. દુશ્મન આગળ કુચ કરતો જાય છે. દીકરી માટે રોકાઉં તે દુશ્મન ઘણું છેટું પાડી દેશે. ન રોકાઉં તે દુનિયાને માર માથે રહેશે. જાધવરાવ આવા વિચારોમાં ગૂંચવાઈ ગયો હતે. નિર્ણય ઉપર આવી શકતા ન હતા એટલામાં એની સાથેના કેટલાક ડાહ્યા માણસેએ જાધવરાવને તે સમયે ખુલ્લે ખુલ્લું કહી દીધું કે “સિંહજી રાજાને સામને કરવા ઇચ્છે છે. આપની પુત્રી જીજાબાઈએ કંઈ આપને અપરાધ નથી કર્યો. આ વખતે આપ બીજા ત્રીજા વિચાર ન કરે. સિંહાજી રાજાની વર્તણુંક અને માલજી રાજાના શબ્દ આ સમયે આપ યાદ ન લાવો. જીજાબાઈ ભેંસલે કદંબની છે એ વાત મગજમાંથી હાલને માટે કાઢી નાંખે એ આપની પુત્રી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com