SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું વિજયી લશ્કરે એ કિલો એકદમ સર કરવાનું ધાર્યું હતું પણ તે બની શક્યું નહિ. લગભગ ચાર માસ સુધી કિલ્લેદારે કિલ્લે લડાવ્યો. આખરે લાંબા ઘેરાથી કિલ્લેદાર થાકી ગયે. બહારથી કુમક પણ ન મળી શકી એટલે કિલ્લો મરાઠાઓએ લીધે. આ કિલ્લામાંથી મરાઠાઓને પુષ્કળ દ્રવ્ય મળ્યું. મરાઠાઓએ મેળવેલી સુંદર લૂંટ ભેગી કરી, લશ્કરની ખાસ ટુકડી સાથે બરાબર પાકે બંદોબસ્ત કરીને રાયગઢ ઉપર રવાના કરી દીધી. આ કિટલે કબજે કર્યા પછી મરાઠાઓએ ચંદનવંદન, પાંડવગઢ, નંદગિરિ, તારા વગેરે કિલાઓ કબજે કર્યા. આ કિલ્લાઓ ઉપરાંત વાઈ કરાડ, શિરોળ અને કેહપુર પણ કબજે કર્યો. આ બધી જીત મેળવ્યા પછી મહારાજ રાયગઢ ગયા. હવે મહારાજની નજર બહુ પ્રસિદ્ધ એવા ફડાના કિલા ઉપર પડી. ફેડા માટેની તૈયારીઓ બહુ છૂપી રીતે મહારાજે શરૂ કરી. ફૉડા ઉપર મહારાજની નજર પડી છે એવું એમણે કેાઈને જાણવા પણ ન દીધું. મહારાજે ૨૦ હજાર ફરશી તૈયાર કરાવી અને લશ્કરમાં ભરતી કરી તથા ચડાઈ કરવા માટે જોઇતી સામગ્રી ભેગી કરવા માંડી. મુગલ અમલદારોને મહારાજની આ હિલચાલ અને તૈયારીઓની ખબર મળી એટલે મુગલ અમલદારોએ મહારાજના કાર્યક્રમના સંબંધમાં ઊંડી તપાસ કરાવી. ખાતરી લાયક ખબર ન મળી એટલે મગલેએ કલ્પનાના ઘડા દેડાવવાનું શરૂ કર્યું. મુગલેને લાગ્યું કે શિવાજી ત્રીજી ફેરા સુરત લૂંટવાની તૈયારી કરી રહ્યો છે એટલે સુરતના રક્ષણ માટે પૂરતો બંદોબસ્ત કર્યો. બે વખત સુરત જેવા ધનવાન બંદરને લૂંટીને શિવાજી મગનું નાક કાપી ગયો તેવું ફરીથી ન બને તે માટે મુગલ અમલદારોએ ચાંપતા ઈલાજ લેવા માંડ્યા. સખત બંદોબરન કર્યો. મહારાજની તૈયારીઓ ચાલતી હતી, તેની ખબરો જાસૂસાએ બિજાપુરના વજીરને પહોંચાડી. આદિલશાહી સરદારો વિચારમાં પડ્યા. એમણે પણ મુગલ અમલદારોની માફક મગજ દોડાવ્યું અને અનુમાન કર્યું કે મહારાજ કારવારના બળવાખોર ફોજદારને મદદ કરવા જાય છે. મહારાજે તૈયાર કરેલા લશ્કરને સર્વ સામગ્રી આપી સાથે લીધું અને ૨૫૦૦૦ સિપાહીઓની જુદી જુદી ટુકડીઓ કરી પર્વત, ડુંગરે અને ખીણોમાંથી જુદે જુદે રસ્તે પસાર કરી અમુક ઠેકાણે આખા લશ્કરને ભેગું થવાની સૂચનાઓ આપી દીધી. આવી રીતે તૈયાર કરેલા લશ્કરને સાથે લઈ મહારાજે ફડાના કિલ્લા ઉપર અચાનક હલે કરી કિલ્લાને ઘેરો ઘાલ્યો. મરાઠા લશ્કરને દેખી આદિલશાહી લશ્કર ગભરાયું. મરાઠાઓના મારામાંથી હવે કઈ બચશે નહિ એમ બધાને લાગ્યું. મરાઠાઓ એટલે જીવતો કાળજ છે એમ મુસલમાનો માનવા લાગ્યા અને આ કાળની જાળમાંથી નાસી સ્ટવાનો વિચાર કર્યો. પ્રકરણ ૭ મું ૧. ઉંબરાની લડાઈ. ૨. જેસરીની લડાઈ. ૩. હબીરરાવનાં પરાક્રમ, ૪. રાજ્યાભિષેક સમારંભ. ૫. ૫. ગાગાભટ્ટ ૧. સમારંભની તૈયારીઓ, શરઆત અને પૂર્ણાહુતિ. ૭. માતા જીજબાઈને ગજાસ. ૮. પોર્ટુગીઝ સુલો ઉપર મરાઠાઓની કરડી નજર . રેડાને ઘેરે. ૧, ઉબરાણીની લડાઈ. પ રાઠાઓએ આદિલશાહી મુલક અને કિલા સર કરવાને સપાટે ચલાવ્યું હતું. ચારે તરફથી શિવાજી મહારાજના વિજયની વાતે બિજાપુરના દરબારમાં આવતી. આજે આ રિલે મરાઠાઆએ કબજે કર્યો તે કાલે પેલા કિલ્લાને એમણે ઘેરો ઘાલ્યો, આજે આ મુલક એમણે છો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy