________________
૧૧૮
૨.
3.
૪.
૫.
૭.
'.
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ મુ પેાતાની વ્યવસ્થા શક્તિથી અને ઉત્તમ કારભારથી પેાતાની પ્રજાને સતાષ આપવા જોઈએ. પેાતે જે મહાભારત કામ હાચમાં લીધું છે, તે પ્રજાના હિતનું છે, તે પ્રજાને સુખી કરવા માટે છે, તે કચડાતી પ્રજાને ઉગારવા માટે છે, એની પ્રજાને પાતાના વર્તનથી પૂરેપુરી ખાત્રી કરી આપવી જોઈ એ.
$.
જે સરદારા આપણી હકુમત નીચે આવી શકે એમ ન હેાય, તેમની સાથે સ્નેહ સંબંધ બાંધી, મીઠાશ રાખવી જોઈ એ.
૯.
પેાતાના મુલકનો કારભાર નમુનેદાર બનાવી, પેાતાની પ્રજાની પ્રીતિ મેળવી, આજુબાજુના લેાકેા પણ આકર્ષાય એવી રીતે આપણે તંત્ર ચલાવવું જોઈ એ.
મહારાષ્ટ્રના ખીજા જુદા જુદા ભાગા ઉપર સત્તા ચલાવતા સરદારાને પોતાની હકુમત નીચે લેવાના પ્રયત્ના આપણે કરવા .જોઈ એ.
કેટલાક સરદારાને દેશની ખરી સ્થિતિ સમજાવી, નવી સત્તા સ્થાપવાના ઉદ્દેશ પ્રજાને સુખી કરવાના છે, એની એમને ખાત્રી કરી આપી પાતાના પક્ષમાં લેવા જોઈ એ.
લાગવગ ધરાવતા દેશમુખ, દેશપાંડે, કુલકરણી વગેરેને હરપ્રયત્ને વશ કરી લેવા જોઈ એ.
કઠ્ઠણુ પ્રસંગે આપણી પડખે રહેનાર ઉપર મુસલમાની સત્તા તરફથી આફત આવી પડે તે હરેક પ્રયત્ને આપણે એમને મદદ કરીશું અને એમના કામની, સેવાની કદર જરૂર થશે, એવે પ્રજાના વિશ્વાસ આપણે મેળવવા જોઈએ.
૧૦. હિંદુત્વ ઉપર ચાલી રહેલા અત્યાચાર દૂર કરવા માટે અને હિંદુ ધર્મના રક્ષણ માટે, પ્રજાને સુખી કરવા માટે જ આ પ્રયત્નો થઈ રહ્યા છે તેની ખાત્રી પોતાના વતનથી પ્રજાને આપણે કરી આપવી જોઈ એ.
ચેાતરમ્ નજર દોડાવી, જીવનના મુખ્ય સિદ્ધાંતા નક્કી કરી, શિવાજી મહારાજે સ્વતંત્ર જીવન શરૂ કર્યું.
દાદાજીના મરણ પછી શિવાજી મહારાજના તેમજ જાગીરના કારભારના ખર્ચ બાદ કરતાં, બાકી રહેલી રકમ લેવા માટે, સિંહાજી તરફથી ખાસ માણસ શિવાજી મહારાજ પાસે પૂને આવ્યા. આવેલા માણસ જોડે શિવાજી મહારાજે પિતાને જણાવી દીધું કે:-‘ કારભારી દાદાજીપર્યંત ગુજરી ગયા છે. જાગીરના મુલકાની મજબૂતી અને વ્યવસ્થાને ખર્ચ વધી ગયા છે. આપણી જમીન એટલી બધી રસાળ નથી કે જાગીરના મુલકનું વધેલું ખર્ચ નિભાવતાં આપને મેકલવા જેવી રકમ ફાજલ પડે. કર્ણાટકમાં આપના તાબામાં જે મુલકા છે, ત્યાંની જમીન રસાળ છે અને તેથી એની ઉપજ પણ પુષ્કળ છે. તે ઊપજમાંથી જ આપ સુંદર રીતે નિર્વાહ કરી શકશે। અને આ સંજોગામાં તેા એ જ યાગ્ય ગણાશે.” પુત્રના ઉપર પ્રમાણેના સંદેશા પિતાને મળ્યા. શિવાજી મહારાજના ઉપર પ્રમાણેના જવાબથી સિંહાજીને જરાપણું માઠું ન લાગ્યું. તેમણે જવાબમાં પુત્રને જણાવ્યું કે “ તમારી તેજસ્વિતા અને બ્યપરાયણતા સાંભળીને હું બહુ ખુશી થયા છું.''
પોતાની આખી જાગીરને પાતાની સત્તા નીચે લાવવા શિવાજી મહારાજે હવે જાગીરના જુદા જુદા ભાગના અમલદારા તરફ નજર કરી.
૫. સૂપા ઉપર સવારી, ચાણ ઉપર ચડાઈ અને કાન્ડાણા કબજે,
સિંહાજીની જાગીરના મુલકના જુદા જુદા ભાગ પાડી તે દરેક ઉપર એક એક જવાબદાર અમલદાર નીમવામાં આભ્યા હતા. દાદાજી કાન્દ્રદેવે મરણુ વખતે એ બધા અમલદારાને પોતાની પાસે ખેલાવ્યા હતા અને બધાને શિવાજી મહારાજને માલીક માની, તેમને નિમકહલાલ રહેવા સૂચના કરી હતી. સદરહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com