SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. ભારતધર્મ ને અર્થે ભૂખ્ય પેટે ચલાવાતે સંસારવ્યવહાર ! માત્ર અન્નવસ્ત્રની જ તાણ છે એમ નથી, આપણી આબરૂ પણ એટલી હલકી, એકબીજાની કિંમતમાં પણ એટલે ફેર કે કાયદાને હિસાબે પણ પક્ષપાતમાંથી આપણને બચવું બહુ મુશ્કેલ પડે. એવી રીતે તે જેમજેમ દહાડા જાય છે, તેમ તેમ ભારતવર્ષની છાતી ઉપરનો ભાર વધતો જ જાય છે, બે પક્ષ વચ્ચેની વિષમતા પણ પાર વિનાની વધતી જ જાય છે, એ જાણવાનું હવે કઈને બાકી નથી. આ સ્થિતિમાં એક બાજુથી વેદના અસહ્ય થતી જાય છે, બીજી બાજુએથી અવગણના પણ એટલી જ ગંભીર થતી જાય છે. આવી તાપની અવસ્થા જે ચાલુ જ રહે તે એક દિવસ વાવાઝેડું આવે જ એમાં કશે સંદેહ નથી. આમ કેટલુંક એકય હોય તે પણ આપણે કહેવું જોઈશે કે, વિપ્લવની પહેલાં અમેરિકા તથા ફ્રાન્સની સામે જે એકમાત્ર કહ્યડે હતું અને જે કહ્યડો ઉકેલતાં તેમને મુક્તિ મળી જાય એમ હતી, તેજ કેહ્મડો આપણે કહાડો નથી. આપણે જે દરખાસ્તના બળ વડે કે શરીરના જેર વડે રાજકર્તાને ભારતવર્ષમાંથી વિદાય લેવા રાજી કરી શકીએ તે પણ આપણો કહ્યડો ઉકલી જાય નહિ, એવી સ્થિતિમાં તો અંગ્રેજ પાછો આવશે નહિ તે વળી એ બીજે કઈક આવી પડશે કે જેના મની ફાડ ને પિટને ઘેરા અંગ્રેજ કરતાં નાને નહિ હોય. કહેવાનું કારણ નથી કે, જે દેશ પિતાની જાતિને ગાંઠી એક મહાજાતિ બનાવી શકે નહિ, તે દેશમાં સ્વાધીનતા હોઈ શકે જ નહિ. કારણ કે સ્વાધીનતાને “સવ કયાં છે? સ્વાધીનતા? કોની સ્વાધીનતા ? ભારતવર્ષમાં બંગાળી ને સ્વાધીન થાય તે દક્ષિણની નાયર જાતિ પિતાને સ્વતંત્ર થઈ માને નહિ; અને પશ્ચિમની જાટ જાતિ જે સ્વાધીનતા પામે તે પૂર્વની આસામ પ્રદેશની જાતિ તેના ફળનું ગૌરવ પામે નહિ. એક બંગાળામાંજ હિન્દુની સાથે મુસલમાન પિતાનું ભાગ્ય એકઠું કરવા રાજી હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy