SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતધર્મ દહાડા ઉપર હલકા વર્ગના અવિચારી મુસલમાનોનું ટેળું કલકત્તાના રાજમાર્ગ ઉપર લેવાના સળીઓ હાથમાં લઈને તેફાન કરતું દેડયું. નવાઈની વાત એ છે કે, એ તેફાન અંગ્રેજની સામે હતું. એમને સજા પણ પૂરી રીતે થઈ હતી. કહેવાય છે કે, ઇટ મારીએ તે પથ્થર ના પડે, પણ આ મૂહ લેકેએ ઇટ મારીને પથ્થર કરતાં પણ સખ્ત પથ્થર ખાધ છે. અપરાધ કર્યો દંડ તે ખમા પડે, પણ વાત શી હતી, એ તે આજ સુધી સમજાયું નથી. આ નાની કે મોટી ઘટના બની તે ગઈ, પણ આ મૂંગી પ્રજા એમાંનું કશું સમજી શકી નહિ. વાત મર્મમાં રહી ને તેથી લોકે વગર કારણે નાની વાતને મોટી માની. હેરીસન રેડને નાકેથી તુર્ક લેકના અર્ધચંદ્રવાળા રાજમહેલ સુધી લેકેએ તર્કવિતર્ક કરી વાત કરવા માંડી ને તેને વળી ડાળી ફણગા ફુટયા. વાત અંધારામાં રહી તેથી ભયભડકયાં અંગ્રેજી છાપાંમાંથી કેાઈએ લખ્યું કે, આ તેફાનને કેસ સાથે સંબંધ છે ને બળવાની નિશાની છે; કેાઈએ લખ્યું કે મુસલમાન વસ્તીને એકે વારે ઉડાવી દેવી જોઈએ; કેઈએ લખ્યું કે આ ભયંકર વિપદભરેલે સમયે વાયસરોય હિમાળે ચઢી ટાઢા થઈને બેસી રહે એ ઠીક નહિ. વાત બાંધી રહી જાય ત્યારે એથી અકળ ભય લાગે અને બળવાનના અકળ ભેથી નબળાનું તે જરૂર મેત થાય! મૂંગાં કરી નાખેલાં વર્તમાનપત્રો ભેદમાં ચૂપ થઈ જાય એ સ્થિતિ આપણે માટે બહુ ભયંકર. એથી આપણાં સો કામ રાજપુરુષની આંખે તે વહેમના અંધારામાં કાળાંજ દેખાય. અટળ અવિશ્વાસને કારણે રાજાની છરી ધારદાર બની જાય અને પ્રજાનું હદય ખેદથી ભારે થઈ જાય ને છપી નિરાશાથી ઝેરી થઈ જાય. આપણે બેશક અંગ્રેજના તાબેદાર, પણ કંઈ પ્રકૃતિને નિયમ તે એને તાબેદાર નથી. ઘા પડે તે આપણને વેદના થાય. યુપીયન હજાર ઉપાય કરે તેય નિયમને તે ટાળી ન શકે. એ રાગ કરે તે ઘાની વેદના માત્ર વધે એટલુંજ, એ તે પ્રકૃતિને નિયમ છે પિનલ કેડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy