SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ! આ સર્વ આપનું જ છે. જે ચીજની જરૂર હોય તેને માટે આજ્ઞા ફરમાવે. આચાર્ય કહે, દેવી! અમારે નથી જોઈતું ધનધાન્ય કે નથી જોઇતે પૈસે ટકે. અમારે જોઈએ છે તમારું પુત્રરત્ન-તમારે વહાલે ચાંગે. ભવિષ્યમાં એ મહાન આચાર્ય થઈ જૈનશાસનને ઉદ્યોત કરશે. કહો, સમાજના ઉદ્ધાર અર્થે, માનવજીના કલ્યાણ અર્થે તમારા બુદ્ધિમાન પુત્રનું દાન કરી શકશે? નવીન તરેહની ભિક્ષાની માગણથી પાહિણું જરા વિસ્મય તે પામી પણ વિચારવા લાગી કે સમસ્ત સંઘ મારે આંગણે પધારી મારા પુત્રની માગ કરે છે તે પાછી કેમ ઠેલાય? તેણે કહ્યું: ગુરુદેવ ! વિશ્વના ભલા માટે પુત્રનું દાન કરવામાં મને હરક્ત નથી. પણ એના પિતા બહારગામ ગયેલ છે તેમને આવવા દે. આચાર્યશ્રીની સાથે આવેલા વેપારીઓ બોલ્યા: પાહિણી દેવી! તમારા પતિને અમે મનાવી લઈશું. તેમની રજા સિવાય આચાર્યશ્રી ચાંગદેવને દીક્ષા નહિ આપે એ ખાત્રી રાખજે. પણ તમે રાજીખુશીથી ગુરુએ માગેલી ભિક્ષા આપો. ધનભાગ્ય છે તમારાં કે આવું પુત્રરત્ન તમારી કુખે પાકયું છે. આ સાંભળી પાહિણીએ ચાંગદેવને ગુરુચરણે ધયે. પુત્રથી છુટા પડતાં તેને ઘણું લાગી આવ્યું. તેની આંખમાં અશ્ર ઉભરાવા લાગ્યાં. ખરેખર પુત્રથી વિખુટા પડતાં લાગણી કોને ન થાય? પણ સમાજકલ્યાણની ભાવનાથી પ્રેરાઈ પાહિણીએ સર્વ દુઃખ અંતરમાં સમાવી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy