________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
જ્યારે આપણે કોઈ પાપીને જોઈએ, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવા પાપ અનેક વાર કર્યા હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મુક્ત નથી થતો તો આવું પાપ અનેકવાર કરી શકું છું. ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને ! આવા પાપો માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા પાપ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવા પાપીને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલા કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપ કર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો પ્રભાવ.
જ્યારે આપણે કોઈ ગંદકી કે ગંદાને જોઈએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવી ગંદકીમાં અનેક વાર જન્મ ધારણ કર્યા હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મુક્ત નથી થતો, તો આવી ગંદકીમાં મારે અનેક વાર જન્મ લેવા પડી શકે છે. ધિક્કાર છે મને ! ધિક્કાર છે ! આવા પાપોનું મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા પાપો કદી નહીં કરું કે જેથી મારે ગંદકીમાં જન્મ લેવો પડે. નહીં જ કરું! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવી ગંદકી કે ગંદાને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો પ્રભાવ.
જ્યારે આપણને બીજાના કારણે આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન થાય, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવું કોઈનું નુકસાન કરાવ્યું હશે, ધિક્કાર છે મને ! ધિક્કાર છે ! આવા કાર્ય માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી એવું કાર્ય કદી નહીં કરું કે જેથી બીજાનું નુકસાન થાય. એવું નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવું