SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સમ્યગ્દર્શનની રીત કરતા આવ્યા છીએ અને કર્મોના દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) 2014. જ્યારે આપણે કોઈને ધર્મની નિંદા કરતા સાંભળીએ, સાધુની નિંદા કરતા સાંભળીએ, શ્રાવક્ની નિંદા કરતા સાંભળીએ, વિકૃત ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા જાણીએ, એકાંત ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા જાણીએ અથવા વ્યવહારક્રિયામાં ધર્મ માનતા અને પ્રચાર કરતા જાણીએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવું અનેક વાર કર્યું હશે, એટલે જ હું અત્યાર સુધી સંસારમાં છું. ધિક્કાર છે મને! ધિક્કાર છે ! આવા કર્મો અને માન્યતાઓને માટે મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા ખરાબ કામ કે માન્યતા કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવા ખરાબ કાર્ય કરવાવાળાઓને અને આવી ખોટી માન્યતાવાળાઓને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો પ્રભાવ. જ્યારે આપણે કોઈ મનુષ્યને અથવા કોઈ પંખી કે પ્રાણીને હિંસા કરતા જોઈએ અથવા સાંભળીએ, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવું અનેક વાર કર્યું હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને ત્વરાએ મુક્ત નથી થતો તો આવું અનેક વાર કરી શકું છું. ધિક્કાર છે મને! ધિક્કાર છે! આવી હિંસા માટે મિચ્છામિ દુક્કડં! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી હું આવી હિંસા ક્યારેય નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવી હિંસા કરવાવાળાઓને પોતાના પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવાકર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome ! ) નો પ્રભાવ.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy