SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન માટેની યોગ્યતા ૯૧ જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોના દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome! ) નો પ્રભાવ. જ્યારે કોઈ આલોચક બીજા કોઈની આલોચના કરી રહ્યો છે ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં (આલોચનાનું અને જેની આલોચના થઈ રહી છે એવાં) દુષ્કૃત્ય અનેક વાર કર્યાં છે. ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આલોચકને અને જેની આલોચના થઈ રહી છે તે બન્નેને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જુનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) નો પ્રભાવ. જ્યારે આપણે કોઈને ખોટું/ખરાબ કામ કરતા જોઈએ, કોઈને ખોટું/ખરાબ કામ કરતા વૃત્તપત્ર (Newspaper) અથવા અન્ય સમાચાર માધ્યમો દ્વારા જાણીએ અથવા અન્યો દ્વારા સાંભળીએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં ખોટાં/ખરાબ કામ અનેક વાર કર્યાં હશે. ધિક્કાર છે મનો! ધિક્કાર છે ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં ખોટાં/ખરાબ કામ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) ખોટાં/ખરાબ કાર્ય કરવાવાળાઓને આપણાં પાપકર્મોને યાદ કરાવવાવાળા અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુ:ખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy