________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૮૯
જીવો તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઇચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી – ટકવી મુશ્કેલ થઈ જશે.
અનાદિથી આપણે દુઃખોનો પ્રતિકાર કરવાનું જ શીખ્યા છીએ, એનો સ્વીકાર કરવાનું ક્યારેય નથી શીખ્યા. ત્યારે તે દુઃખોનું સ્વાગત કરવું તો બહુ દૂરની વાત છે. પરંતુ અત્રે જણાવેલ સ્વાગત કરવાની યુક્તિથી આપણે એ દુઃખોનો સર્વોત્કૃષ્ટ સકારાત્મક ઢંગથી (Extra ordinary excellent positive thinking) સામનો કરીને તેવાં દુ:ખોના દુષ્ચક્રથી મુક્તિ પામી શકીએ છીએ. આ યુક્તિને હસ્તગત/અભ્યસ્ત કરવા માટે અત્રે જણાવેલ ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) એક દિવસમાં ઓછામાં ઓછું દસ વાર વાંચીને, મનમાં બેસાડવું આવશ્યક છે. કેમ કે જીવોની પ્રતિક્રિયા તાત્કાલિક હોય છે, પ્રતિક્રિયા માટે વિચારવાનો વધુ સમય નથી હોતો; આત્મામાં રહેલા પૂર્વનિર્ધારિત સંસ્કાર અનુસાર જ તાત્કાલિક પ્રતિક્રિયા થાય છે, તેને બદલવા માટે અત્રે જણાવેલ ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) એક દિવસમાં ઓછામાં ઓછું દસ વાર વાંચીને, મનમાં બેસાડવું આવશ્યક છે. ત્યાર પછી જે રોષ/ગુસ્સો/ આવેશ પહેલાં વર્ષો/મહિનાઓ સુધી રહેતો હતો, તે દિવસોમાં જ ગાયબ થઈ જશે. ધીરે ધીરે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) અભ્યાસ જેટલો જેટલો ગાઢ થતો જશે તેમ તેમ મનનો રોષ/ ગુસ્સો/આવેશયુક્ત રહેવાનો સમય ધટતો જશે અને એક દિવસ એવો પણ આવશે કે મનમાં રોષ/ગુસ્સો/ આવેશનો જન્મ જ નહીં થાય; તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આવી રીતે આપણે દુઃખના દુષ્ચક્રથી બચી શકીએ છીએ અને આપણી પ્રસન્નતા પણ અખંડિત રાખી શકીએ છીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome ! ) નો ભાવ રાખવો અસંભવ જ હોય છે; કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું–પરાયું) અને પસંદગીનાપસંદગીનો તીવ્ર ભાવ હોવાથી, પોતાના મત-પંથ-સંપ્રદાયનો ધમંડ હોવાથી અને પોતાને અન્ય જીવોથી ઊચા માનતા હોવાથી અન્યોને માટે તેઓ તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઇચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી – ટકવી મુશ્કેલ થઈ જશે.
જ