________________
સમ્યગ્દર્શનની રીત
ચઢાવી-વધારીને પ્રકાશિત કરતો રહેશે; આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથસંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જે કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી-ટકવી મુશ્કેલ થઈ જશે.
ત્રીજો, કરુણાભાવઃ- આધ્યાત્મિક દયા. અધર્મી જીવો પ્રત્યે, વિપરીતમ જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે, દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ ભાવવો. આ હુંડાઅવસર્પિણી પંચનકાળમાં જૈન સમાજમાં ઘણી વિકૃતિઓ પેસી ગયેલ છે, તો અન્ય ધર્મની તો વાત જ શું? તેવી વિકૃતિઓ ફેલાવનાર પ્રત્યે અને તેમના અનુયાયીઓ પ્રત્યે આપણે ગુસ્સો કે દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ કરણાભાવ રાખવો જ યોગ્ય છે. જેનાથી આપણી પ્રસન્નતા અખંડિત રહે અને આપણે પાપબંધથી બચી જઈશું. પરંતુ જે જીવને મત-પંથસંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવો પ્રત્યે કરુણા રાખવી અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્રભાવ હોવાથી તે જીવ સર્વે જીવો પ્રત્યે કરુણા નહીં કરી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓ પ્રત્યે કદાચ કરુણા કરી પણ લેશે પરંતુ અન્યો પ્રત્યે તો, તેવા જીવો તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જે કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી - ટકવી મુશ્કેલ થઈ જશે.
ચોથો મધ્યસ્થભાવઃ- આધ્યાત્મિક અભિપ્રાયપૂર્વકની ઉદાસીનતા. આપણે સર્વે જીવો પ્રત્યે પરમ કલ્યાણમય મૈત્રીનો ભાવ ભાવ્યો છે, પરંતુ જેઓ આપણને પોતાના દુશ્મન માને છે, તેવા લોકો આપણી સાથે કાંઈ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે. ત્યારે આપણે તેમના પ્રત્યે ગુસ્સો કે દ્વેષ ન કરતાં, આપણે એમના પ્રત્યે ઉપેક્ષાભાવ એટલે કે મધ્યસ્થભાવ ભાવવાનો છે. અને એની સાથે અમે જે આગળ બતાવવાના છીએ તે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ પણ ભાવવાનો છે, જેથી આપણે તે અપમાન આદિનો આપણા ફાયદામાં ઉપયોગ કરી શકીએ અને આપણે કર્મોના દુષ્યકથી પણ બચી શકીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે મધ્યસ્થભાવ રાખવો અસંભવ જ થશે; કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીનો તીવ્ર ભાવ હોવાથી તે જીવ દુશ્મન જીવો પ્રત્યે મધ્યસ્થપણાનો ભાવ નહીં રાખી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓ પ્રત્યે કદાચ મધ્યસ્થભાવ કરી પણ લેશે પરંતુ અન્યો પ્રત્યે તો, તેવા